SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દશવૈકાલિક સૂત્રનું સમ્મતિ પત્ર શ્રમણસંઘના મહાન આચાર્ય આગમવારિધિ સર્વતન્ન સ્વતંત્ર જૈનાચાર્ય પૂજ્ય શ્રી આત્મારામજી મહારાજે આપેલા સમ્મતિ પત્રને ગુજરાતી અનુવાદ, મેં તથા પંડિત મુનિ હેમચંદ્રજીએ પંડિત મુલચંદ વ્યાસ (નાર કરવાહ વદિા) દ્વારા મળેલી પંડિતરત્ન શ્રી. ઘાસીલાલજી નિ વિચરિત સંસ્કૃત અને હિન્દી ભાષા સહિત શ્રી દશવૈકાલિકસૂત્રની આચારમણિમજૂષા ટકાનું અવલોકન કર્યું. આ ટીકા સુંદર બની છે. તેમાં પ્રત્યેક શબ્દને અર્થ સારી રીતે વિશેષ ભાવ લઈને સમજાવવામાં આવેલ છે. તેથી વિદ્વાને અને સાધારણ બુદ્ધિવાળાઓ માટે પરમ ઉપકાર કરવાવાળી છે. ટીકાકારે મુનિના આચાર વિષયને સારો ઉલ્લેખ કરેલ છે. જે આધુનિક મતાવલંબી અહિંસાના સ્વરૂપને નથી જાણતા, દયામાં પાપ સમજે છે તેમને માટે અહિંસા શું વસ્તુ છે” તેનું સારી રીતે પ્રતિપાદન કરેલ છે. વૃત્તિકાર સૂત્રના પ્રત્યેક વિષયને સારી રીતે સમજાવેલ છે. આ વૃત્તિના અવલોકનથી વૃત્તિકારની અતિશય ગ્યતા સિદ્ધ થાય છે. આ વૃત્તિમાં એક બીજી વિશેષતા એ છે કે મૂલ સૂત્રની સંસ્કૃત છાયા હોવાથી સૂત્ર, સૂત્રનાં પદ અને પદચછેદ સુબોધ દાયક બનેલ છે. પ્રત્યેક જીજ્ઞાસુએ આ ટીકાનું અવલોકન અવશ્ય કરવું જોઈએ. વધારે શું કહેવું અમારા સમાજમાં આવા પ્રકારના વિદ્વાન મુનિરત્નનું હોવું એ સમાજને અહોભાગ્ય છે. આવા વિદ્વાન મુનિરોના કારણે સુપ્તપ્રાય સુતેલો સમાજ અને લુપ્તપ્રાય એટલે લેપ પામેલું સાહિત્ય એ બંનેને ફરીથી ઉદય થશે. જેનાથી ભાવિતાત્મા મોક્ષ એગ્ય બનશે અને નિર્વાણ પદને પામશે આ માટે અમે વૃત્તિકારને વારંવાર ધન્યવાદ આપીએ છીએ. વિક્રમ સંવત ૧૯૯૦ ફાલ્ગન શુકલ. તેરસ મંગળવાર ઈવજઝાયજઈશું સુણી આયારામે (અલવર સ્ટેટ) પંચનઈઓ શતાવધાની પંડિતરત્ન મુનિ શ્રી રતનચંદજી મ. સા. ને અભિપ્રાય બાલાચારથી ભારતરત્ન શતાવધાની પંડિત મુનિ શ્રી ૧૦૦૮ શ્રી રતનચંદજી મહારાજ ફરમાવે છે કે – ઉત્તરોત્તર જોતાં મૂલસૂત્રની ટીકાઓ રચવામાં ટીકાકારે સ્તુત્ય પ્રયાસ કર્યો છે, જે સ્થાનકવાસી સમાજ માટે મગરુરી લેવા જેવું છે, વળી કરાંચીના શ્રી સંઘ સારા કાગળમાં અને સારા ટાઈપમાં પુસ્તક છપાવી પ્રગટ કર્યું છે જે એક પ્રકારની સાહિત્ય સેવા બજાવી છે. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy