________________
મણીભાઈ છેલ્લા પિસ્તાળીસ વર્ષથી અમદાવાદમાં જ રહે છે. હાલ તેઓ નિવૃત્તિ પરાયણ જીવન ગુજારે છે.
શાસ્ત્રોદ્ધારક પૂ. પા. આચાર્ય મહારાજશ્રી ઘાસીલાલજી મ. સા.ના સમાગમમાં પણ તેઓ અનેકવાર આવેલ અને તેમના સદુપદેશને લાભ મેળવેલ જેથી તેના તરફ તેમની ઘણું શ્રદ્ધાભક્તિ હતી અને છે.
તેઓશ્રીના આ શાસ્ત્રોદ્ધારના કાર્યને પિતે વર્ષોથી તેમના પ્રકાશને જુએ છે અને તેનો લાભ લે છે. જેથી કરીને તેમના પ્રકાશને પ્રત્યે ઉત્કટભાવના પેદા થઈ કે આ સમાજના રક્ષણ માટે આ સાહિત્ય અનુપમ અને આદરણીય છે. આચાર્યશ્રી આવી અતિવૃદ્ધ અવસ્થામાં હોવા છતાં પણ જીવનપર્યન્ત આવી અવિરત શ્રમ લીધેલ છે. તે તે માટે આપણે પણ આ કાર્યમાં સહાયક બનવું જ જોઈએ. કારણ મોક્ષમાર્ગનું આ એક દિવ્ય સાધન છે, આમ વિચારી તેઓએ સમિતિને વખતેવખત મદદ કરી છે, અને આ સૂત્રના પ્રકાશન માટે તેઓશ્રીએ રૂ. ૫૦૦૧) પાંચ હજાર એકની ઉદારતાભરી સહાય કરેલ છે. અને ભવિષ્યમાં પણ આ કાર્યને પાર ઊતારવા તેમની સહાયતાને પ્રવાહ ચાલુ રાખશે. એજ આશા.
મંત્રીઓ, શ્રી અ. ભા. સ્થા. જૈન શાસ્ત્રધાર સમિતિ,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨