________________
૫
શ્રી દશવૈકાલિક સૂત્રનું સમ્મતિપત્ર.
શ્રમણુસંઘના મહાન આચાય આગમવારિધિ સર્વતન્ત્ર સ્વતંત્ર જૈનાચાય પૂજ્યશ્રી આત્મારામજી મહારાજે આપેલા સમ્મતિપત્રના ગુજરાતી અનુવાદ.
મેં તથા પંડિત મુનિ હેમચંદ્રજીએ પંડિત મૂલચંઢજી વ્યાસ–નાગૌર મારવાડ વાળા દ્વારા મળેલી પડિરત્ન શ્રી. ઘાસીલાલજીમુનિ વિરચિત સંસ્કૃત અને હિન્દી ભાષા સહિત શ્રી દશવૈકાલિક સૂત્રની આચારમણિમ જૂષા ટીકાનું અવલાકન કર્યુ. આ ટીકા સુ ંદર બની છે. તેમાં પ્રત્યેક શબ્દના અર્થ સારી રીતે વિશેષ ભાવ લઈ ને સમજાવવામાં આવેલ છે.
તેથી વિદ્વાન અને સાધારણ બુદ્ધિવાળાઓ માટે આ ટીકા પરમ ઉપકાર કરવાવાળી છે. ટીકાકારે મુનિના આચાર વિષયના સારા ઉલ્લેખ કરેલ છે. જે અહિંસાના સ્વરૂપને યથાર્થરૂપથી નથી જાણતા, તેમને માટે અહિંસા શું વસ્તુ છે ?' તેનુ' સારી રીતે પ્રતિપાદન કરેલ છે. વૃત્તિકારે સૂત્રના પ્રત્યેક વિષયને સારી રીતે સમજાવેલ છે. આ વૃત્તિના અવલેાકનથી વૃત્તિકારની અતિશય ચેાગ્યતા સિદ્ધ થાય છે.
આવૃત્તિમાં એક મીજી વિશેષતા એ છે કે મૂલસૂત્રની સંસ્કૃતછાયા હાવાથી સૂત્ર, સૂત્રનાં પદ અને પદચ્છેદ સુમેધદાયક બનેલ છે.
પ્રત્યેક જીજ્ઞાસુએ આ ટીકાનું અવલેાકન અવશ્ય કરવું જોઈએ. વધારે શુ કહેવુ?. અમારા સમાજમાં આવા પ્રકારના વિદ્વાન મુનિરત્નનું હોવું એ સમાજનુ અહાભાગ્ય છે. અદ્યતન સુપ્તપ્રાયસુતેલા સમાજ અને લુપ્તપ્રાય એટલે લેાપ પામેલુ સાહિત્ય એ બન્નેને આવા વિદ્વાન મુનિરત્નેાના કારણે ફરીથી ઉદય થશે. જેનાથી ભાવિતાત્મા મેાક્ષને ચેાગ્ય બનશે અને નિર્વાણુ પદ્મને પામશે. આ માટે અમેા વૃત્તિકારને વારવાર ધન્યવાદ આપીએ છીએ.
વિક્રમ સંવત ૧૯૯૦ ફાલ્ગુન શુકલ તેરસ મૉંગળવાર ( અલવર સ્ટેટ)
કૃતિ
ઉપાધ્યાય જૈનમુનિ
આત્મારામ પંચનદીય.