SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના વિપાકસૂત્ર જૈન આગમનું અગીઆરમુ' સૂત્ર છે, એ કવિપાકદશાને નામે પણ ઓળખાય છે. વિદ્વાન ટીકાકાર સુનિ શ્રી ઘાસીલાલજી મહારાજ આર’લ વાકયેામાં કહે છે તેમ એમાં જીવનાં શુભ-અશુભ કર્મોના ફળભૂત વેદનારૂપ વિપાકનું વર્ણન છે. આ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધ અને દ્વિતીય શ્રુતસ્કન્ધ, એવા એ વિભાગા છે. એમાં પ્રથમ શ્રુતસ્કન્ધુ દુઃખવિપાકસ્કન્ધ છે અને તે ખૂબ વિસ્તારવાળા છે, જ્યારે બીજો શ્રુતસ્કન્ધ સુખવિપાકસ્કન્ધ છે, જે એકદમ ટૂંકા છે. પ્રથમ વિભાગના વિષયભૂત પાપી જીવા અતિ દુઃખ ભાગવી છેવટે આત્મપુરુષાર્થથી મુકત થાય છે, જ્યારે ખીજા વિભાગના વિષયભૂત ખધા પુણ્યશાલી જીવ-આત્મા મહાવીર સ્વામીના ખાધથી અણુવ્રતધારી શ્રાવક ધર્મનો અંગીકાર કરી એજ ભવમાં નિન્થ ધર્મ સ્વીકારે છે તે થાડા લવા કર્યા ખાદ મુક્ત થશે. દરેક વિભાગનાં કુલ દશ અધ્યયના છે. જખૂસ્વામીએ મહાવીર સ્વામીના પાંચમા ગણુધર ગુરુ સુધર્માં સ્વામીને સૂત્રનાં અધ્યયના વિષે પ્રશ્નો કરેલા તેના ઉત્તરરૂપે આ દશ અધ્યયના કહેવામાં આવ્યાં છે. આખું સૂત્ર ગદ્યમાં છે અને સમાસે વગેર તેમાં બહુ નથી. ભાષાષ્ટિએ પણ તેને અભ્યાસ આવશ્યક છે. આ સૂત્રની સંસ્કૃત ટીકા અભયદેવસૂરીએ કરી છે. વિક્રમ સવત ૧૫૮૨માં જાંબુનિવાસી શ્રીમાળી અરિસિંહ રાણાએ અગીઆર અંગેાની પ્રતા લખાવી હતી તેમાં એક પ્રત વિપાકસૂત્રની છે. પ્રાચ્યવિદ્યાવિશારદ વેબરે Indian Antiquary ના સત્તરમા અને વીસમા ગ્રન્થામાં આ સૂત્ર વિષે વિવેચના કરી છે. વંચાવૃદ્ધ સુનિ શ્રી ઘાસીલાલજીસ'પાદિત આ સૂત્રમાં પાડે, છાયા, અન્વય, સંસ્કૃત ટીકા અને ગૂજરાતી હિન્દી અનુવાદ તથા ભાષામાં જૈન આગમ સાહિત્યના પ્રકાશનના ઇતિહાસમાં અનન્ય સ્થાન ધરાવશે. વિપાકસૂત્ર અનેક રીતે અભ્યાસ માગે છે. મહાવીરસ્વામી ગોતમ આઢિ ગણધર સહિત ભરતક્ષેત્રની જે જે નગરીઆમાં વિચર્યાં હતા તેમનાં નામે, જે શ્રી વિપાક સૂત્ર
SR No.006339
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages809
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_vipakshrut
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy