SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ એક અભિપ્રાય પ્રમાણે યુવરાજ પદે શ્રેણિક રાજા હતા ત્યારે તે પશ્ચિમ બંગાલ (અંગ) દેશની રાજધાની ચંપાનો ગવર્નર હતા આ પ્રદેશ એક વાર બ્રહ્મદત્ત નામના રાજાના તાબાને હતો. શ્રેણિકે તેને હરાવી તે પ્રદેશ ખાલસા કર્યો હતો. અત્યારે એ પ્રદેશ મું ઘર અને ભાગલપુર જિલ્લાઓમાં સમાઈ જાય છે. એણે (પશ્ચિમ પાકીસ્તાનમાં ) ગાંધારના રાજ્ય સાથે મૈત્રી કરી હતી. શ્રેણિકની નેકરીમાં છવક નામે એડ પ્રખ્યાત વૈદ્ય હતું, જેને મહારાજાએ અવંતીરાજ પ્રદ્યોતની દવા કરવા મોકલ્યું હતું. આ પ્રદ્યનો નિર્દેશ મહાકવિ કાળિદાસે મેઘદૂત કાવ્યમાં કર્યો છે. શ્રેણિકના ઘણા કુંવરએ મહાવીરસ્વામી પાસે દીક્ષા લીધી હતી, જેનું વર્ણન પ્રસ્તુત સૂત્રમાં કરવામાં આવ્યું છે. બૌદ્ધ સાહિત્યમાં શ્રેણિકને ગૌતમબુદ્ધના પ્રશંસક તરીકે વર્ણવામાં આવ્યું છે. જૈન સાહિત્ય પ્રમાણે આવતી ચોવીસીમાં તે તીર્થકર થશે. તેને રાજ્યસમય ઈ. સ. પૂર્વે, પ૮૨ થી ૫૫૪ સુધી ગણાય છે. પરંપરા પ્રમાણે મહાવીરનું નિર્વાણ ઈ. સ. પૂર્વે પર૭માં થએલું. તે વખતે તેમની ઉમર ૭૨ વર્ષની હતી, એટલે તેમનો જન્મ ઈ. સ. પૂર્વે ૫૯મા થયો હોય. આ કાળગણના પ્રમાણે કૃણિકનું મરણ અને મહાવીરનું નિર્વાણ એકવર્ષીય થએલાં હિય. મહાવીર છદ્મસ્થ હતા ત્યારે અને કેવળી થયા ત્યારે શ્રેણિક રાજા હવે જોઈએ. રાજગીર-રાજગૃહ આ શહેરનું અસલ નામ ગિરિત્રજ હતું, અને તેની સ્થાપના વાણારસી-કાશીના શિશુનાગ નામના રાજાએ લગભગ ઈ. સ. પૂર્વે ૬૪૨ કે ૬૦૦ના અરસામાં કરી હતી, આ નગરી અતિ સમૃદ્ધ હતી, અને ઊંચા પર્વત ઉપર વસાવવામાં આવી હતી. અહીં ખેદકામે થયેલાં છે, જેને પરિણામે ત્યાંથી અનેક જૈન, બૌદ્ધ, બ્રાહ્મણીય શિલ્પકામે મળી આવ્યાં છે. પર્વત ઉપર જૈન મંદિરો આવેલાં છે. એ પુરાણ મંદિરો નથી. મંદિર પાસે ગરમ પાણીના ઝરાઓ છે, જેનો ઉલ્લેખ ભગવતીસૂત્રમાં મળે છે. મહાવીર સ્વામીએ અને ગૌતમ બુદ્ધ અહીં ચાતુમસે કરેલાં. પાસે જ નાલન્દ આવેલું છે, જે નામનું અધ્યયન જૈન આગમમાં છે અને જ્યાં સેંકડો વર્ષો સુધી મેટું વિદ્યાપીઠ હતું. શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર
SR No.006337
Book TitleAgam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages218
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_anuttaropapatikdasha
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy