________________ જંદગીભર સાદાઈ તથા કરકસરથી પાઈ પાઈ બચાવી. જે કંઈ બચત થઈ તે જુદી જુદી સંસ્થાઓમાં દાનમાં આપી દીધું કેમ કે શ્રી વ્રજલાલભાઈને કાંઈ સંતાન નથી. શ્રી. વ્રજલાલભાઈ જેમ જેમ પૈસા કમાતા ગયા તેમ તેમ અનેક ધાર્મિક કાર્યોમાં દાનરૂપે આપતા જ રહ્યા છે. તેમના દાનપ્રવાહના થોડાક દાખલાઓ નીચે મુજબ છે, રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળમાં-ચીભડા પાંજરાપોળમાં પશુવિશ્રાંતિગૃહ, વર્ધમાન તપ, આયંબિલ ખાતાએ રાજકોટ તથા મુંબઈમાં સ્થાનકવાસી જૈન બાલાશ્રમ - કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ - સમેતશિખર ઉપર ભાતાની તિથી - પાવાપુરીમાં ધર્મશાળામાં એક રૂમ - મુંબઈમાં સી. પી ટેક ઉપર હાલ બંધાતી પાંચ માળની જૈન ધર્મશાળામાં એક રૂમ- ભક્તીનગર જૈન સોસાયટીમાં સસ્તા ભાડાની ચાલમાં એક બ્લોક જૈન દવાખાનામાં - રાજકોટ વણિક મહાજન શ્રી તરફથી ચાલતા દવાખાનામાં પ્રસુતીગૃહ માટે એક રૂમ એ મુજબ છુટક છુટક દરેક ખાતાઓમાં દાન દઈ રાજકોટ વ્રજલાલ દુલભજી પારેખ અંધ મહિલા વિકાસ ગૃહમાં રા. પચાસ હજાર એક મકાન ખાતામાં તથા બત્રીસ હજાર પાંચસે એક પુખ્ત વયની અંધ બહેનો માટેના છાત્રાલયના મકાન માટે આપેલ છે. હવેની શેષ જીદગી મજકુર અંધ મહિલા વિકાસ ગૃહની સેવામાં ત્યાં રહી ગુજારી રહ્યા છે. હયાતી બાદ તેમની જે મિત હોય તે અંધ મહિલા વિકાસ ગૃહને મળે તેવું વીલ કરેલ છે. તેમનાં બહેન ઝબકબેન દુર્લભજી 31-12-62 ને જ દેવગત થતાં તેમની મિલ્કતમાંથી જેનેના સસ્તા ભાડાની ચાલમાં એક બ્લોક - દશા શ્રીમાળી વણિક મહાજન શ્રી તરફથી ચાલતા દવાખાનામાં પ્રસુતી ગૃહ માટે એક રૂમ તથા રાજકેટમાં મૂંગા બહેરાના છાત્રાલયના મકાન માટે રૂપીઆ ત્રિીસ હજાર તેમણે દાનમાં આપ્યા છે. વ્રજલાલભાઈ શ્રી શાસ્ત્રોદ્ધાર સમિતિના આ કાર્યમાં વખતે વખત હાર્દિક સહકાર આપતા આવ્યા છે, તેમજ શ્રી સ્થાનાંગ સૂત્રને આ બીજા ભાગના પ્રકાશન માટે રૂ. 5001) પાંચ હજાર એક આપી સક્રિય સહકાર બતાવી અમૂલ્ય અને અપ્રાપ્ય લાભ મેળવેલ છે. જે માટે આ સમિતિ તેમને હાર્દિક આભાર માને છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : 02