________________
ભાર ભર્યું હતું. પોતાને ત્યાં નેકરી કરી ગએલ મુનિમ કે કઈ પણ વ્યક્તિ કમાણી કરીને ખુબ જ આગળ આવે, સારા અને સંસ્કારી થાય વ્યવહારમાં સવાયા થાય તેને ત્યાં લગ્ન પ્રસંગ હોય અગર તો સારામાં સારાં મકાને તેણે કર્યા હોય તેવા પ્રસંગે જવાનું થાય ત્યારે તેમના આનંદને અવધી થઈ જતો. તે વખતે તેઓની આંખનું અમૃત જેમણે નજરોનજર જોયું હશે તે તેમને જીવનભર નહીં ભૂલે. આવી એક મહાન વિભૂતિના જીવનને ટુંક સાર જ આપી શકાય.
સાંગોપાંગ જીવન તે ક્યાંથી લખાય? કાળ–જનમ્યું તે જવાનું જ તે કુદરતને ક્રમ છે તેને આધીન તે સારા
નરસા દરેકને થવું જ પડે. સંવત ૨૦૦૭માં તેઓશ્રી ૬૮ વર્ષનું આયુષ્ય ભગવી ક્ષણભંગુર દેહને છેડી ગયેલા. પરંતુ તેમની સુવાસ સદાય પ્રસરતી જ રહેવાની. ભાણવડ જેવડા નાનકડા ગામમાં અને આસપાસના ગામમાં જ્યાં જ્યાં તેઓ ગએલા અગર તે તેમનું કાર્યક્ષેત્ર હતું ત્યાં ત્યાં તેમના અવસાનથી સન્નાટો છાઈ ગયેલું. એમનું મૃત્યુ વીશ વર્ષના કાતરને શેક હોય તે શોક સર્વત્ર આપતું ગયેલું. નામ ઠામના લેભ વિના કરેલાં તેમનાં ગુપ્ત દાને એટલાં બધાં હતાં કે તેમના જવાથી નાના મોટા દરેકને એકસરખી ખટ લાગતી હતી. છતાં તેઓ જીવતર જીવી ગયા. આવું ધન્ય જીવન અને ધન્ય મૃત્યુ જોઈને આર્તધ્યાન રૌદ્રધ્યાન ધરવું તે કરતાં તેમના જેવા થવાના પ્રયત્ન કરવા. અને તેમના અમર આત્માની શાન્તિ માટે પ્રાર્થના કર્યા સિવાય બીજો માર્ગ જ કયાં છે? શાન્તિ! શાન્તિ!! શાન્તિ!! !
શ્રી આચારાંગ સૂત્ર : ૨