SearchBrowseAboutContactDonate
Page Preview
Page 769
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાસી ધાર્મિક ઉંડામાં ઉંડું જ્ઞાન તેમણે વાંચનથી મેળવેલું. દેશ પરદેશની વાત થતી હોય ત્યારે તેમના આગળ પ્રખર અભ્યાસીઓ પણ ઝાંખા પડતા, વર્તમાન પત્રોને શેખ તેમને અજોડ હતે. દેશ પરદેશના નાણાકિય વહેવારે અને હુંડિયામણની વાત સાંભળીએ ત્યારે તેમના જ્ઞાનના અગાધ પણાની સાંભળનારને અતિ ઉત્તમ છાપ પડતી. ધાર્મિક-ધાર્મિક અભ્યાસ તેમને એટલે બધે બળ હતું કે તેમના આગળથી રોજ અવનવું જાણવા મળતું દરેક ધર્મને અભ્યાસ તેમણે જીજ્ઞાસાવૃત્તિથી કર્યો હતે. ધમેં તેઓ ચુસ્ત સ્થાનકવાસી શ્વેતાંબરી જેન હતા છતાં ધર્માધતાને તેમનામાં અંશ પણ ન હતું. મારું એટલું સારું એમ નહી પણ સારું એટલું મારું એમ માનતા તેથી કદાગ્રહીપણું તેમનામાં જનમ્યું જ ન હતું. જૈન ધર્મના દરેક ફીરકા ઉપર તેમને માન હતું. શ્વેતાંબર મંદિરમાર્થિ ભાઈઓના વરઘોડાઓમાં તેઓ આનંદ અને ઉત્સાહથી જતા, પ્રસંગ આવે ભાઈચારો નભાવવા વ્યવહારૂપણને ઉપયોગ કરી દેરાસરમાં ઘી બોલવાને પ્રસંગ આવે ત્યારે પણ તેઓ ઉત્સાહથી બોલતા. વરઘોડામાં પોતાના ઘરની પુત્રવધુઓને કળશ લેવડાવતાં તેમને અને આનંદ મળતે, જૈન ધર્મના દરેક પર. કાઓની એકતાના તેઓ પ્રખર ચાહક હતા છેલ્લે છેલ્લે સૌરાષ્ટ્રમાં જૈન શ્વેતામ્બર તેરાપંથી સાધુઓ આવતા અને એમને સૌરાષ્ટ્રના જૈન અને જૈન સાધુઓ તેરાપંથી સાધુને સ્થાન અને આહારપાણી ન આપવાં તે પ્રયાસ જોર શોરથી કરતા તે બાબતને પિતે ગાંડપણ માનતા અને પોતાના ઘેર તેરાપંથી સાધુઓને માનથી ગેચરી આપતા સમાજથી જરા પણ ડરતા નહીં. “વિચારભેદ તે દરેક જગ્યાએ બુદ્ધિવાદી લેકમાં હેય મુખને વિચારભેદ શાને?' આમ તેઓ કહેતા પરંતુ એવા વિચારભેદને લઈને સાધુનું અને તે પણ પરદેશી સાધુઓનું અપમાન કરવું તેમાં માનવતા ક્યાં રહી? જૈનત્વ ક્યાં રહ્યું? તેમ તેઓએ જામનગરમાં એક વખત કહેલું તે મને બરાબર યાદ છે. પ્રેમાળ–અસત્ય અગર તે જુઠ દગો આચરનાર તરફ તેમને ઘણે જ રેષ હતું એટલે ઉગ્રતાથી આવા લેકેની ખબર લઈ નાખતા છતાં તેનું દિલ દુભાવ્યું તે ઠીક ન કર્યું તેમ માની તે જ વ્યકિત સાથે પ્રેમ અને મમત્વથી વાત કરતા બીજાનું સારું જોઈ તેઓ ખરેખર રાચતા તેમની આંખમાં પ્રેમનું અમૃત ભારે શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy