________________
३२
ભાષામાં ભાષાંતર કરી તેને પડતર કરતાં પણ ઘણી એછી કિંમતે વેચી ધર્મસૂત્રના પ્રચાર કરે છે. મુસ્લિમ લેાકેા પણ તેમના પવિત્ર મનાતા ગ્રન્થ કુરાનનું અનેક ભાષાઓમાં ભાષાંતર કરી સમાજમાં પ્રચાર કરે છે. આપણે પૈસા પરના માહ ઉતારી ભગવાનના સિદ્ધાંતાના પ્રચાર કરવા માટે તન, મન, ધન સમર્પણ કરવાં જોઇએ. અને સૂત્ર પ્રકાશનના કાર્યને વધુ ને વધુ વેગ મળે તે માટે સક્રિય પ્રયત્ના કરવા જોઈએ. આવા પવિત્ર કાર્ય માં સાંપ્રદાયિક મતભેદો સૌએ ભૂલી જવા જોઇએ અને શુદ્ધ આશયથી થતા શુદ્ધ કાને અપનાવી લેવું જોઈએ. સમિતિના નિયમાનુસાર રૂ. ૨૫] ભરી સમિતિના સભ્ય બનવું જોઇએ. ધાર્મિક અનેક ખાતાઓના મુકાબલે સૂત્ર પ્રકાશનનું-જ્ઞાનપ્રચારનું આ ખાતું સર્વશ્રેષ્ઠ ગણવુ જોઇએ.
આ કાર્યને વેગ આપવાની સાથે સાથે એ આગમે–ભગવાનની એ મહાવાણીનું પાન કરવા પણ આપણે હરહુ મેશ તત્પર રહેવુ જોઇએ, જેથી પરમ શાંતિ અને જીવનસિદ્ધિ મેળવી શકાય. ( સ્થા. જૈન તા. ૫-૭-૫૬ )
શ્રી. અ. ભા. વે. સ્થા. જૈન શાસ્ત્રાદ્ધાર સમિતિનાં પ્રમુખ શ્રી વગેરે. રાણપુર પરમ પવિત્ર સૌરાષ્ટ્રની પુણ્ય ભૂમિ પર જ્યારથી શાંત-શાસ્ત્રવિશારદ અપ્રમાદિ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજનાં પુનીત પગલાં થયાં છે ત્યારથી ઘણા લાંખા કાળથી લાગુ પડેલ જ્ઞાનાવરણીય કર્માંનાં પડળ ઉતારવાના શુભ પ્રયાસ થઈ રહ્યો છે. અને જે પ્રવચનની પ્રભાવના તેઓશ્રી કરી રહ્યા છે તે અનંત ઉપકારક કાર્યાંમાં તમે જે અપૂર્વ સહાય આપી રહ્યા છે તે માટે તમા સને ધન્ય છે અને એ શુભ પ્રવૃત્તિના શુભ પરિણામેાના જનતા લાભ લે છે, મને તે સમજાય છે કે સાધુજી છઠે ગુણસ્થાનકે હાય છે પણ પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ તે મહુધા સાતમે અપ્રમત્ત ગુણસ્થાનકે જ રહે છે. એવા અપ્રમત્ત માત્ર પાંચ-સાત સાધુએ જો સ્થાનકવાસી જૈનસમાજમાં હોય તે સમાજનું શ્રેય થતાં જરાએ વાર ન લાગે સમાજાકાશમાં સ્થા. જૈન સ`પ્રદાયના દિવ્ય પ્રભાકર જળહળી નીકળે પણ વા દિન........
શ્રી શાસ્ત્રાદ્ધારસમિતિને મારી એક નમ્ર સુચના છે કે-પૂજ્યશ્રીની વૃદ્ધાવસ્થા છે, અને કાર્યપ્રણાલિકા યુવાનને શરમાશે તેવી છે. તેમને ગામેગામ વિહાર કરવું અને શાસ્ત્રાદ્ધારનું કાર્ય કરવુ તેમાં ઘણાં શારીરિક માનસિક અને વ્યવહારિક મુશ્કેલી વેઠવી પડે છે, તેા કેાઈ ચૈાગ્ય સ્થળ કે જ્યાંના શ્રાવકે ભક્તિ વાળા હાય. વાડાનાં રાગના વિષથી અલિપ્ત હોય. એવા કોઇ સ્થળે શાસ્ત્રાદ્ધારનુ કાર્ય પૂર્ણ થાય ત્યાં સુધી સ્થિરતા કરી શકે એના માટે પ્રબંધ કરવા જોઈએ. ખીજા કોઈ એવા સ્થળની અનુકુળતા ન મળે તે છેવટ અમદાવાદમાં ચાગ્ય સ્થળે રહેવાની સગવડ કરી અપાય તે વધુ સારૂં. મ્હારી આ સુચના પર ધ્યાન આપવા ફરી યાદ આપું છું. ફરીવાર પૂજ્ય આચાર્યશ્રીને અને તેમના સત્કાર્યના સહાયકને મારા અભિનંદન પાઠવું છું તે સ્વીકારશે. લી. સદાન...દી જૈનમુનિ છેટાલાલજી
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧