________________
૩૯
66
જેમ પુણ્યની અધિકતા થાય છે, તેને સુખદાયક સુંદર સામગ્રીઓના સોગ મળે છે, અને તે તેના વિષેગ કદી પણ ઈચ્છતા નથી. વસ્તુને સ્વભાવજ અધ્રુવે અસાસયમી ’’ અર્થાત્ અધ્રુવ, અશાશ્વત, અને ક્ષણભંગુર છે. હુ સમય સમય અનત હાની ” ભગવાને ક્રમાવેલ છે તે સત્ય છે. વસ્તુના સ્વભાવ ક્ષણુ ક્ષણમાં બદલતાં મદલતાં કઇ વખત તે સર્વ વસ્તુને નાશ થઈ જાય છે. એ પ્રમાણે નષ્ટ થનાર વસ્તુને નાશ ન થવા દેવા અર્થાત્ મચાવવાના જે જે ઉપાય કરવામાં આવે તેનું નામ વિષય સરક્ષણ શૈાદ્રધ્યાન છે.
રાજલક્ષ્મી મળવાથી વિચાર થાય કે, રખે મારૂં રાજ્ય કાઇ બીજો રાજા વગેરે હરણ કરી જાય, તેને માટે પ્રથમથી બદામસ્ત કરૂં, ચતુર ંગિણી સેના (હાથી, ઘેાડા, રથ, પાયદળ) માં ઉમદા ઉમદા પરાક્રમીઓને એકઠા કરૂં, મુશ્કેલીની જગ્યાએપર છાવણીએ નાંખુ, ઉદ્ધત થયેલાના સંહાર કરવાના ઉપાય કરૂં, શત્રુના રાજમાં છૂપાં માણસે રાખી ખખર લેતા રહું, અમીર ઉમરાવાને ઇનામ અકરામ આપી સતોષી રાખુ. કે જેથી ખરે વખતે પ્રાણાપણ કરે, મજબૂત કેટ, ઊંડી ખાઈએ, તાપ વગેરે શસ્રા ગાઠવેલા ઊંચા બુરજો અને પાક્કા કિલ્લા બનાવું, ધનુષ્યબાણુ, તરવાર વગેરે અનેક હથિયારી તેમજ ખારાના સંગ્રહ કરૂં, ધનુર્વેદ ( લડાઈનું શાસ્ત્ર ) વગેરેમાંથી કળાએ ગ્રહણ કરી સંગ્રામની વિદ્યામાં પ્રવીણુ અનું, કસરત અને એસડ વગેરેનું સેવન કરી શરીરને મજબૂત અને સહનશીલ મહેનતુ બનાવું કે જેથી વખત આવ્યે હારૂં નહિ, વગેરે ઉપાયેથી રાજ્ય રક્ષગુની ચિંતા કર્યા કરે તે પણ વિષય સરક્ષણ વૈદ્રયાન છે.
+ આ બાબતનું વિશેષ વર્ણન અખ્તધ્યાનના બીજા ભેદમાં થઇ ગયું છે.
* ઉત્તરા॰ ૮, ગાથા ૧,