________________
અથ– હું જૂઠી ચતુરાઈ કરીને મારાં પાપ કામ ન પ્રગટ થાય તેવી અનેક રીતે લેકેને ઠગી મારી બૂરી મતલબ પૂરી કરૂં મન કલ્પિત અનેક દયા રહિત શાસ્ત્ર રચી મન મા મત ચલાવું વાકય ચતુરાઈથી લે કોને મોહ પમાડી તેમની પાસેથી સુંદર કન્યા, રત્ન, ધન, ધાન્ય, અને ઘર પડાવી લઉં અને મારું જીવન સુખે ચલાવું એ વગેરે અસત્ય વિચાર જેના અંતઃકરણમાં થાય છે તેને મદેન્મત્ત (મદમાં છકી ગયેલ) મૃષાનુબંધી ધ્યાનનું ધામ સમજ જોઈએ.
મૃષા એટલે રાખ્યું નથી, એટલે જૂઠ નામના દુર્ગણે જ ગતમાં એક ખૂરે પદાર્થ બાકી રાખ્યું નથી. તમામ અવગુણ ચીજ જૂઠમાં આવી ગઈ છે. અસત્ય ઘણું જ ખરાબ છે. નાના મેટા સૈ માણસે જૂઠને ખરાબ માને છે કારણ કે જૂઠું કહેવાથી સૈ ચીડાય છે. છતાં આશ્ચર્યની વાત એ છે કે તેને કઈ છોડતું નથી. જુઓ, આ ધ્યાનની સત્તા કેવી પ્રબળ છે કે ખરાબ કામમાંજ આનંદ મનાય છે. કેટલાક પિતાની ચાતુરી બતાવે છે કે અમે કેવા વિદ્વાન છીએ કે ભારે પ્રપંચ કરીને એ અંગહીન, રૂપાહીન, ઈદ્રિયહીન અને ગુણહીન કન્યાને માટે સારે ઠેકાણે આપી દીધી, અને એની પાસેથી આટલી રેકડી રકમ પડાવી; વૃદ્ધને, રોગીને અને નપુંસકને કેવી યુકિતથી વિવાહ કરી આપે; હવે એ બંને તે ભલે જીદગી સુધી પિક મૂકી રેવે, પણ આપણે તે કામ થયું. એવી જ રીતે ગાય, ઘોડા, વગેરે પશુઓની, પિપટ, મેના, વગેરે પક્ષીની, ખેતર, બાગ વાવ વગેરેની કેટલાક લેકે જૂઠી પ્રશંસા કરી, ખટપટ કરી, રૂપ બદલાવી, ખરાબને છેડીવાર રૂડી બનાવી,