________________
ઉતાવળીઆ થવાનું નથી. દુરંદેશી થઇ આ વિષય કેજે અતિ ઉપયોગી છે તેનો નિર્ણય સૂત્રજ્ઞાનનું કે શાસ્ત્રનું જાણપણું કરીને કરવાનો છે. બાકી શાસ્ત્રમાં જેને પૂર્વનું જ્ઞાન કહે છે, તેવા પૂર્વધારી મહાત્માને તે સમક્તિ રત્ન હેયછેજ. સમક્તિ એતો ખરા જ્ઞાનપરની રૂચિ અને શ્રદ્ધા છે પછી તે જીવ વ્યાખ્યાન વાંચી શકે તેવો કે સૂત્રજ્ઞાન વગેરેનો અભ્યાસી અગર અમુક વ્રત-નિયમ-ચારિત્ર પાળનાર હોવો જોઈએ એમ એકાંત માની લેવાનું નથી. જ્યાં તીર્થકર પ્રભુએ કહ્યું તેવું થોડું પણ ચારિત્ર હોય ત્યાં સમકિત છેજ પણ જ્યાં સમકિત છે ત્યાં ચારિત્ર હેય વા ન પણ હેય. સૂત્ર સિદ્ધાંત કંઠસ્થ કરનાર, શુષ્ક પંચ મહાવ્રતધારી કે બાર વા ધારી પાસે જેમ વખતે તે રત્ન હેતું નથી તેમ એક પણ વ્રત પચ્ચખાણુ ન લેનાર કે માત્ર નવકાર મંત્રજ જેમ તેમ બોલી જાણનાર પાસે વખતે તે રત્ન હોય છે. બહું વિચાર કરવા જેવો આ વિષય છે. શાસ્ત્રનું મહાન રહસ્ય આ વાતમાં રહેલું છે. હવે સમક્તિના ૬૭ બોલમાંથી (સમકિતી
છથનાં) ૫ લક્ષણ કેવાં હેય, તે વિષે વિવેચન કરવું ઘણું અગત્યનું હેવાથી ટુંકામાં જણાવી આ વિષય પૂર્ણ કરીશ. લક્ષણ પાંચ–૧ સમ:-શત્રુ અને મિત્રપર, સારી કે ખરાબ ચીજ પર
સમભાવ આણે, પિતાના આત્માને કહે કે તું જ તારે મિત્ર અને શત્રુ છે. તારાથી જ તારું સારું અને બૂરું થયું છે, થાય છે અને થશે. બીજાપર ઠેષ કે રાગ ન કર. આ પ્રમાણે મન વચન
અને કાયાથી સમભાવી હોય તેમજ પ્રકૃતિ પણ ઘણું શાંત હેય. (૨) સંવેગ-સદા વૈરાગ્ય ભાવમાં રહે. સંસારનાં સુખ યા દુઃખને ,
ઈદ્રજાળ, અથવા ગારૂડીના ખેલ બરાબર ગણે. અસ્થિર સુખમાં લુબ્ધ ન રહે. જળ કમળવત્ રહે. ઉપાશ્રયમાં કે સંત - સમાગમમાં રોજ રહેનાર મનુષ્યમાં આ ગુણ દિન પ્રતિદિન,
વધતિ હે જઈએ. (૩) નિવેગ-સંસારના સ્વરૂપને ક્ષણિક જાણી, છકાયના છાના
છેદન-ભેદન-કુટન વગેરે આર ભિક પાપ તેમજ સ્થાવર અને જંગમ ચીજોના પરિગ્રહથી યથાશકિત નિવર્તિ, અમર તેવો ભાવ રહે. આરંભ અને પરિગ્રહજ ચાર ગતિમાં રખાવે છે ને રખ