________________
૨૭૨ અર્થ સિદ્ધના સુખને માટે એવું દ્રષ્ટાંત છે કે જેમ કોઈ પુણ્યવંત, શ્રીમત, સર્વ પ્રકારના સુખની સામગ્રીવાળો પુરૂષ, મન વાંછિત રાગ રાગણ સાંભળી, નટિક વગેરે અવેલેકન કરી, પુષ્પ વગેરે સુધી, છ રસનાં ઈચ્છિત ભેજન જમી, અને ઈચ્છા પ્રમાણેનાં સર્વ સુખને ભેગે પગ લઈને તૃપ્ત થયે હેય, પોતાની સુખ શચ્યામાં નિશ્ચિત થઈ આનંદમાં બેઠા હોય, સર્વે મને રથો પૂરા કરી સંતુષ્ટ થયું હોય, હવે કેઈપણ તરેહની ઈચ્છા તેને રહી હેય નહિ તે પ્રમાણે સિદ્ધ પ્રભુ સિદ્ધ સ્થાનરૂપ અનંત સુખની સેજામાં સર્વે કામગથી તૃપ્ત અને ઈચ્છા રહિત બની, અતુલ્ય, અનુપમ, અમિશ્ર, શાશ્વત, અવ્યાબાધ, નિરામય, અપાર, સદા અખંડ એવા સુખથી સંતુષ્ટ થઈ વિરાજે છે. ગત કાળની, વર્તમાનની કે ભવિષ્યની કોઈ પણ સંપત્તિની કિંચિત માત્ર ઈચ્છા તેમને ઉત્પન્ન થતી નથી. સિદ્ધ ભગવાન એવી જાતના પરમાનંદ અને પરમ સુખમાં અનંતકાળ લગી સંસ્થિત રહે છે.
એવા એવા અનેક સિદ્ધ પરમાત્માના ગુણનું રટણ, મનન અને નિદિધ્યાસન એકાગ્રતાથી કરી તેમાં લીન થઈ જે મનુષ્ય દયાન ધરે, એ ધ્યાનના સમયમાં કેઈપણ કલ્પના પિતાના હૃદયમાં આવવા ન દે, જ્યાં દષ્ટિ કરે ત્યાં સિદ્ધનું સ્વરૂપજ દષ્ટિગત થાય, તે એવી લયલીન દશાવાળે મનુષ્ય દઢ અભ્યાસને લીધે ચારે તરફ સિદ્ધ સ્વરૂપને જ જ્ઞાન દષ્ટિથી જોઈ શકે છે. ત્યારપછી તે પિતાના આત્મ સ્વરૂપની અને સિદ્ધ સ્વરૂપની સરખામણ કરે છે અને પિતાનામાં અને એમાં શું શું ફેર છે તે તપાસે છે. એ તપાસણમાં તેને બંને સ્વરૂપમાં જરાપણ ભિન્નભાવ જણ નથી. તે પુરૂષ જાણે છે કે જેવું મારું સ્વરૂપ છે તેવુંજ આ પરમાત્માનું છે. હું પણ સર્વજ્ઞ, સર્વ શક્તિમાન, નિષ્કલંક, નિરાબાધ, ચૈતન્ય માત્ર, સિદ્ધ, બુદ્ધ, અને પરમાત્મા છું. એવી ભેદ રહિત બુદ્ધિની નિશળતા અને સ્થિરતા થાય ત્યારે તે પુરૂષ પિતાને પણ શરિર રહિત