________________
ક, નરેદ્ર (ચક્રવતિ રાજા) અને બ્રહસ્પતિ જેવા વિદ્યામાં પ્રવીણ, છ શાસ્ત્રના પારગામી, મહાતેજસ્વી, વકતૃત્વકળાધારક, મહા ચતુર પણ ચમત્કાર પામે છે, અને કહે છે કે આહાહા! શું અતુલ્ય શક્તિ ! કેવી વિદ્યાસાગરતા ! એકેક વાક્યમાં કેવી શુદ્ધતા, મધુરતા અને સરળતા ! ઈત્યાદિ વચને કહેતાં ગુણેમાં પ્રેમમય બની વાહ વાહ કરતા અત્યંત આનંદ પામે છે. જેમ ક્ષુધાતુર મિષ્ટાન્ન ભેજનને અને તૃષાતુર ઠંડા પાણીને ગ્રહણ કરે છે તેવી રીતે શ્રોતાઓ પ્રભુના એકેક શબ્દને અત્યંત પ્રેમાતુરપણુથી ગ્રહણ કરી હૃદયને શાંત કરે છે, મહા વૈરાગ્ય પામે છે, અને એ પ્રમાણે સાંભળતાં સાંભળતાં તમામ કામ ભૂલી જઈ પ્રભુમાંજ એકાગ્રતા લગાડે છે.
વળી મનહર, શાંત, ગંભીર, મહાતેજસ્વી, એક હજારને આઠ ઉત્તમોત્તમ લક્ષણેથી વિભૂષિત, દેદિપ્યમાન, સર્વોત્તમ, અત્યંત પ્રિય એવું પ્રભુનું સ્વરૂપ નિહાળી પ્રેક્ષકે જોનારાઓ) તેમાં લુબ્ધ થાય છે જોતાં જોતાં હૃદયમાં કહે છે કે, અહાહા ! કેવી સ્વરૂપ સંપત્તિ છે! કેવી અપૂર્વ વૈરાગ્ય દશા છે!
નિષ્કામી, અકોલી, અમાની, અમાયી, અલભી, અરાગી, અષી, નિર્વિકારી, નિરહંકારી, મહાદયાળ, મહામાયાળ, મહામંગળ, મહારક્ષપાળ, અશરણશરણ, તરણતારણ, ભવદુઃખવારણ, જન્મસુધારણ, જગતુ ઉદ્ધારણ, અચિત્ય, અતુલ્ય શકિતના ધારક, ત્રિદુઃખ નિવારક, અક્ષભ, અનંત નેત્ર યુકત, પરમ નિર્ધામક, પરમ વૈઘ, પરમ ગારૂડી, પરમ તિ, પરમ જહાજ, પરમશાંત, પરમકાંત, પરમદાંત, પરમહંત, પરમઈષ્ટ, પરમમિષ્ટ, પરમજs, પરમએ, પરમપંડિત, ધમપંડિત, મિથ્યાત્વ ખંડિત, પરમ ઉપગી, આત્મગુણભેગી, પરમગી, મહાત્યાગી, મહાવૈરાગી, અગમ્ય, મહારમ્ય, અનંત દાનલબ્ધિ-અનંત લાભલબ્ધિ-અનંત ભેગલબ્ધિ-અનંત ઉપભેગલબ્ધિ-અનંત બળ વીર્ય લબ્ધિના ધ
૩૪