________________
પ્રભા-રકત, માંસ, પરૂના કાદવથી ભરેલાં સર્વ સ્થાન. (૫) ધુમપ્રભા રાઈ, મરચાંના ધૂમાડાથી પણ અધિક તીક્ષણ ધૂમ્રમય સર્વ સ્થાન. (૬) તમપ્રભા-વાદળાંથી છવાયેલી ભાદરવા મહિનાની અમાસની રાતથી પણ અતિ અંધકારમય સર્વ સ્થાન. (૭)તમ તમામભાઅતિ ઘનઘોર અંધકારમય સર્વ સ્થાન–-આ સાત નરકનાં ગોત્રનાં ગુણનિષ્પન નામ છે. એ સાત નરકને બેતાલીસ આંતરા એટલે ખાલી જગ્યા છે, એગણ પચાસ પાથડા એટલે નારકીને રહેવાની જગા છે, અને ચેરાસી લાખ નરકાવાસ એટલે નારકીનાં ઉત્પતિ સ્થાન છે. એમાં રહેલા સમદ્રષ્ટિ જીવ તે પોતાના કરેલાં કર્મને ઉદય જાણી સમભાવથી દુઃખ રૂપી ફળ ભોગવે છે, અને મિથ્યાદ્રષ્ટિ છવ તે હાય હાય, ત્રાહ્ય ત્રાહ્ય કરી દુઃખ ભેગવે છે.
એ નરકમાં ત્રણ પ્રકારની વેદના છે. (૧) પરમાધામકૃત (યમદેવથી થતી), (૨) સરકૃત (પિતાની કરેલી), અને (૩) ક્ષેત્રવેદના. (૧) પરમાધામીકૃત વેદના-પરમાધામી દેવ ૧૫ જાતના છે (૧) અંબ-તે નારકીને કેરીની પેઠે મસળે છે. (૨) અંબરસ-જેમ કેરીને રસ કાઢવામાં આવે છે તેમ નારકીનાં રકત, માંસ, હાડકાં ને ખાં ને ખાં કરે છે. (૩) શામ-પ્રહાર કરે છે. (૪) સબળ-માંસ કાઢે છે. (૫) રૂદ્ર-શસ્ત્રથી ભેદી નાંખે છે. (૬) મહારૂદ્ર--કસાઈની પેઠે કડકે કડકા કરી નાંખે છે. (૭) કાળ–અગ્નિમાં પકવે છે. (૮) મહાકાળ-ચીપોઆથી ચામડી અને માંસ તેડે છે. (૯) અસિપત્ર-શસ્ત્રથી કાપે છે. (૧૦) ધનુષ્ય-શિકારીની પેઠે ધનુષ્ય અને બાણથી ભેદે છે. (૧૧) કુંભ ' –નરકની કુંભમાં પકવે છે. (૧૨) વાલ–ભાડ ભુંજાની પેઠે :
ની રેતીમાં ભુજે છે. (૧૩) વિતરણું–અત્યંત ઊના રસથી ભરેલી વૈતરણ નામની નદીમાં નાંખે છે. (૧૪) ખરસ્વરસથી પણ અતિ તીણ પાંદડાંવાળાં શામેલી વૃક્ષની નીચે બેસાડી તેને માથે પાંદડાં નાંખે છે. (૧૫) મહારાષ-અંધારી કોટડીમાં ઠાં