________________
૧૮૬
સંવેગિણી કથા. એના ચાર ભેદછે. (૧) જે જે વસ્તુઓ ઉપર અસારી જીવાને પ્રેમ છે, તે તે વસ્તુઓની અનિત્યતા ખતાવે. એવે ઉપદેશ કરે કે જુએ ! આ પ્રત્યક્ષ જણાતી વસ્તુએના સ્વભાવમાં, સ્વરૂપમાં, કેવા ફરક પડી જાય છે. તાજી ચીજ અથવા વાસી ચીજ જોવાથી ફેરફાર તરત માલમ પડે છે. વસ્તુને સ્વભાવજ ક્ષણભ‘ગુર છે એટલે ક્ષણે ક્ષણે બદલે છે. જે ગુણુ અને સ્વાદ ગરમ ચીજમાં હત તે ઠંડી પડતાં રહેતા નથી. એવી રીતે આ શરીર તરફ જુઓ, ઉત્પન્ન થયા પછી જુવાની સુધી સુંદરતામાં કેવા વધારો થયા કરે છે, પણ જ્યારે વૃદ્ધપણુ આવે છે ત્યારે સુંદરતામાં ઘણા ઘટાડા થઈ જાય છે અને છેવટ નાશ થાય છે. જગતના સર્વ પદાર્થીની સ્થિતિ આ પ્રમાણેજ સમજવી. ક્ષણુ ક્ષણુમાં નવાં પુગળા ઉત્ત્પન્ન થાય છે, અને જુનાં નાશ પામે છે. મધા પદાર્થાની સ્થિતિમાં એકક્રમ ફરક પડતા નથી. પણ કેટલાકમાં ધીરે ધીરે ફેરફાર થાય છે અને કેટલાક તેા પાણીના પરપાટાની પેઠે એકદમ વિનાશ પામે છે. પુદ્ગળાના આવા સ્વભાવ જાણી તેના પરથી મમતા-ભાવ નિવારવ. વળી મનુષ્ય જન્મ, આર્યક્ષેત્ર વગેરે ઉત્તમ સામગ્રી મળી છે તેની દુર્લભતા બતાવે. *ચારાસી લાખ જીવ ચેાનીમાં અન તીવાર પરિભ્રમણુ કરતાં મહાપુણ્યાયથી ભવભ્રમણાને નાશ કરનાર, મનુષ્ય જન્મ, શાસ્ત્રશ્રવણુ, શુદ્ધેશ્રદ્ધા અને ધર્મના સ્પર્શ કરાય તેવી સામગ્રી મહા સુસીબતથી મળે છે. એને બ્ય ગુમાવાશે તે પશ્ચાત્તાપના પાર રહેશે નહિ. માટે આ વખતે જે જે કામ થઈ શકે એવું છે, તે જો કરી લેવાય તે કેટલા બધા આનંદ થાય ! વગેરે વગેરે ખાખડેથી વૈરાગ્ય
* છ લાખ નિત્ય નિગેાદ, છ લાખ ઇતર નિગેાદ, છ લાખ પૃથ્વીકાય, છ લાખ અપકાય, છ લાખ અગ્નિકાય, છ લાખ વાયુકાય, ૧૦ લાખ પત્યેક વનસ્પતિકાય, ૨ લાખ એઈદ્રિય, ૨ લાખ તેઇંદ્રિય, ૨ લાખ ચારે દ્રિય, ૪ લાખ નારકી, ૪ લાખ દેવતા, ૪ લાખ તિય પચેય અને ૧૪ લાખ મનુષ્ય પચે દ્રિય મળી કુલ ૮૪ લાખ યેાની જીવની છે.