________________
૧૮૫
સસિદ્ધિ થાય છે. (૩) શ્રેતાઓના સંશયનું ઉચ્છેદન કરવાને પિતાના મનથી જ પ્રશ્નને ઉઠાવી તેનું પોતેજ સમાધાન કરી બતાવે. પ્રશ્નના ઉતર મામિક શબ્દમાં અસરકારક રીતે દઈ શ્રોતાઓનું સમાધાન કરે, જેથી ઇણિતાર્થ સિદ્ધિ થાય. (૪) સત્ય, સરળ, સર્વને રૂચે એ સબધ કરે, પક્ષપાત, રાગ, દ્વેષ, આત્મ
લાઘા અને પરનિન્દા થાય, એ ઉપદેશ ન કરે, બેશક પાપની નિન્દા કરે પણ પાપીની નિન્દા ન કરે.
(૨) “વિખેવ”—અર્થાત્ વિક્ષેપિણી-સંયમ અથવા શ્રદ્ધાથી ચલિત પરિણામવાળાની શ્રદ્ધા, ફરીવાર સદુધ આપી.સ્થિર કરે અને આત્માને સવળે કરે, એને વિક્ષેપિણું ધર્મ કથા કહે છે જેના ચાર ભેદ છે. (૧) અન્ય મતના પરિચયથી અગર તેને ગ્રંથનું અવકન કરવાથી કેઈની શ્રદ્ધા ભ્રષ્ટ થઈ ગઈ હોય તે તેને જૈન મર્તનું ગહન સૂક્ષમ જ્ઞાન બતાવી, અન્ય મતની વાતોથી મેળવી પ્રત્યક્ષ ફરક બતાવે જેથી તેની શ્રદ્ધા અને અક્કલ તરત ઠેકાણે આવી જાય એ બેધ કરે. (૨) અન્ય મતમાં એકાંતપણે (તદન) કોઈનું મત ચુંટયું હોય તે તેને તેજ મતના શાસ્ત્રમાં સાધુઓની કઠણ ક્રિયા વગેરે જે વાતે જૈન મત સાથે મળતી હોય તે બતાવીને પૂછે કે જુએ, એવી રીતે ચાલનારા જૈન લોક છે કે બીજા? એવી રીતે સત્યદ્રષ્ટિથી બતાવી જૈન ધર્મમાં દ્રઢ શ્રદ્ધાળુ કરે. (૩) જ્યારે એની શ્રદ્ધા જૈન ધર્મ ઉપર ચૂંટી જણાય ત્યારે તેના હૃદયમાંના બેટ શલ્યનું નિકંદન કરવાને ન્યાય પ્રમાણમાં શાએથી ખુલેખુલી રીતે મિથ્યાત્વનું સ્વરૂપ બતાવી ત્રણે શલ્યથી ઉદ્ધાર કરી નિર્દોષ બનાવે. (૪) જેનું નિર્મલ હૃદય થઈ ગયું છે તેના હૃદયમાં ફરી મિથ્યાત્વ ન પેસે એટલા માટે વિસ્તારથી, યથાત, અને રૂચિકારક રીતે સમ્યકત્વનું સ્વરૂપ બતાવી, તથા તેમાં અનેક પ્રકત્તર કરી મન દ્રઢ કરે. જેથી તે કેઈન ગા ડગે નહિ.
(૩) “સંવેગિણું” અર્થાત-સં=સીધું, વેગ=રસ્તે ચલાવવું, તે