________________
૧૩૫ વય, દશનાવરણ્ય વગેરે સાત મહામાંડલિક રાજા પિતાનું અસંખ્ય દળ બળ લઈ તેની મદદે આવ્યા અને તમામ લશ્કર ચૈતન્યરાજ તરફ ગયું.
ચૈતન્યરાયને આ ખબર મળતાં ક્ષાયિક સમ્યકત્વ, ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર જેવા મહાપરાકમી રાજાઓને સાથે લઈ, કરણસત્ય, ભાવસત્ય, ગસત્ય, વગેરે બખરે ધારણ કરી, વીતરાગી અને અકષાયી શસ્ત્રો લઈ, સંપૂર્ણ સબડતારૂપી ચારે તરફ બંદોબસ્ત કરી, સંપૂર્ણ ભાવિતાત્મારૂપી કેફમાં ગુલતાન બની મહદ્ જ્ઞાનરૂપીવાજાઓનાં રણકારથી મહાધ્યાન રૂપી નિશાન ફરકાવતાં, મહાતપ તેજથી દીપાયમાન થઈ, અહી-અવિકારીપણે અપડવાઈપણુરૂપી દ્રઢતા ધારી, ક્ષપકશ્રેણું રૂપી ચેકમાં સર્વ પરિવાર સાથે આવી ઉભે.
ચિતન્યને આ પ્રમાણે ઠાઠમાઠથી સામે ઉભેલો જોઈ, મદમાં છકી જઈ મેહરાય છે. તે ચિતન્ય, તું મારા જ ઘરમાં મોટે થયે, મારી સેવામાં અનંત કાળ તે ગાળે અને હવે નિમકહરામ થઈ મારી સાથે જ લડવાને તૈયાર થયે. તારી પાસે જે જે અદ્ધિ છે તે મારા પ્રતાપથીજ છે. તે ઘણી વખત મારી સામે થયે, મેં તારી દરેક વખતે ખુવારી કરી છતાં તે શરમાય નહિ અને આગલા દિવસે ભૂલી પાછો સામે આવી ઉભે. શરમ! શરમ!
ચિત --હા, હા, મારી લાજને ગુમાવનાર, અનત કાળથી મારી ફજેતી કરાવનાર, આપને મેં હવે બહુ સારી રીતે ઓળખ્યા છે. હવે જ મને ખબર પડી છે, માટેજ આપના સર્વ પરિવારને નાશ કરવા સામે આવી ઉભું છું. આપને પણ મરવાને શેખ પેદા થયું છે. તમામને નાશ કરવાની ધારણાથી મારી સામે આવ્યા છે તે સંભાળજે. એટલું કહેતાં વાર ચિતજે મેહરાજાના માથામાં ક્ષાયિક અને પ્રહાર કરી તેને નાશ કર્યો. તેજ વખતે તેના સાત માંડલિક રાજામાંથી જ્ઞાનાવરણય, દર્શનાવરણય અને