________________
૧૩૪ કિલ્લામાં પ્રવેશ કરે કે જેથી મેહને એક ક્ષણમાં પરાજય થશે અને ઈચ્છેલાં તમામ કામે ફળીભૂત થશે. વિવેક મંત્રોની આ શીખામણ સૈએ હર્ષ સહિત માથે ચડાવી અને તરતજ બધાએ સજજ થઈ ક્ષીણુમેહ કિલ્લા તરફ પ્રયાણ કર્યું.
રસ્તામાં લેભચંદ્ર મળી ગયા. તેણે મધુરતાથી કહ્યું, હવે શા માટે ભાગે છે? તમે અમારું સત્યાનાશ તે કાઢી નાંખ્યું. હવે અમે તમારાજ છીએ. શા માટે ડર છે ? આ ઉપશમકષાય કિલ્લે તમારે છે, એમાં પ્રવેશ કરી બે ફિકર રહે. અમારા મેહથાય તે બિચારા ચુપચાપ બેઠા છે, હવે તમારું નામ પણ લેવાના નથી.
આ સર્વ દગાથી વિવેકમંત્રીએ પ્રથમથી જ સર્વને વાકેફ કર્યા હતા. જેથી લેભચંદ્રનાં મીઠાં વચનથી કેઈ ઠગાયા નહિ અને આગળ ચાલવા મંડયા. ત્યારે લોભચંદ્ર એકદમ લાલાળ થઈ પિતાના પરિવાર સહિત સામે થઈ કહેવા લાગ્યું. દુટે, મારા ભાઈઓને મારીને આ તરફ કયાં જાઓ છે? હવે હું તમને છેડનાર નથી. એમ કહી સર્વ સૈન્યયુક્ત ચૈતન્યની સેનાપર ઈરછા, તૃષ્ણ, મૂછ, કાંક્ષા, વૃદ્ધતા, આશા વગેરે બાણની વૃષ્ટિ કરવા લાગ્યું. તે જ વખતે ચૈતન્ય ક્ષાયિક બાણને પ્રહાર કરી લેભને સપરિવાર નાશ કરી નિશ્ચિત બની ક્ષીણકષાય કિલ્લામાં જઈ પરમાનંદ પામે.
લેભચંદ્રને સપરિવાર નાશ કરી લીન્કષાય કિલ્લામાં ચિતન્ય નિવાસ કર્યો, એવી મહરાજાને ખબર પડતાંજ અંગેઅંગે ઢીલ થઈ ગયે. જીતવાની તે આશા દૂર રહી પણ ઈજજત અને જીવ બચાવો મુશ્કેલ થઈ પડ્યો. છતાં પણ માનમાં મરડાઈ આપખુદ ચૈતન્યને પરાજય કરવા તૈયાર થયે. તે વખતે જ્ઞાના