________________
૧૦૬ અપેક્ષાથી ગણીએ તે અપાર, નિત્ય, સર્વ કાળ ઉત્તમ, પરમસાર- યુક્ત અને અનંત સુખમાં વિરાજમાન છે.
' વળી સિદ્ધ પરમાત્મા અતીન્દ્રિય સુખના ભોક્તા છે. ઈન્ડિથી થતાં ને ભેગવાતાં સુખ તે ફક્ત કહેવા માત્ર છે. તેનાં પરિણામ દુઃખરૂપ છે. ઈદ્રિયના વિષયોનું પિષણ કરવામાં દુઃખજ છે એ વાત પ્રથમ વર્ણવી બતાવી છે, એટલા માટે સિદ્ધ ભગવાન તે અનત અતીન્દ્રિય સુખના ભક્તા છે. તે સિદ્ધ પરમાત્માના જ્ઞાનાવરણીય કર્મ નાશ પામ્યા છે તેથી તેઓ અનંત કેવળજ્ઞાની થયા છે, દર્શનાવરણીય કર્મને ક્ષય થવાથી અનંત કેવળ દર્શન થયા છે, વેદનીય કર્મને નાશ થવાથી નિરાબાધી સુખના ભક્તા થયા છે, મેહનીય કર્મને ક્ષય થવાથી શુદ્ધ ક્ષાયકસમ્યકવી થયા છે, આયુષ્ય કર્મને નાશ થતાં અજરામર થયા છે, નામકર્મને નાશ થવાથી અરૂપી થયા છે, ગેત્ર કર્મને નાશ થવાથી અપલક્ષણ રહિત થયા છે, અને અંતરાય કર્મના ક્ષયથી અનંતદાનલબ્ધિ, અનંતલાલબ્ધિ, અનંતભેગલબ્ધિ, અનંતઉપભેગલબ્ધિ અને અનંતબલવીયલબ્ધિ મળી છે. એવા અનંતગુણધારક સિદ્ધભગવાનનું ધ્યાની જીવાં ધ્યાન ધરે છે.
ગતિગમન.
- ૨૦ કારણેને લીધે જીવ પાંચ ગતિમાં ગમન કરે છે. (૧) મહા આરંભ-એટલે સદા ત્રસ અને સ્થાવર જીવોને આરંભ એટલે કુટે થાય તેવાં કારખાનાં વગેરે ચલાવે. (૨) મહા પરિચયએટલે મોટા અનર્થ કરીને દ્રવ્ય મેળવવામાં પાછી પાની ધરે નહિ અને ચામડી તૂટે પણ દમડી ન છૂટે એ કંજૂસ હાય. (3) કશિમાહારી-એટલે માંસ, મદિરા, વગેરે અભય પદાર્થોને આ