________________
પદાર્થોથી જાણીતા થયા છીએ. વળી અગોચર (= અદ્રશ્ય) પદાથેના ગુણ અને પર્યાય તે એટલા સૂક્ષ્મ છે કે આપણે તે શું પણ મોટા મોટા ચાર જ્ઞાનના ધરનાર, બાર અંગના ભણેલ, મહા મુનિવરેને પણ લક્ષમાં આવવા મુશ્કેલ છે અને જે પદાર્થ આપણું સમજમાં તે આવતાજ નથી છતાં આપણે શાસ્ત્રમાંથી વાંચી સત્ય માનીએ છીએ તે પણ શ્રી તીર્થંકર પ્રભુએ નિશ્ચયપણે વર્ણવી બતાવ્યા છે. આપણે તેમની આજ્ઞા માનવી જ જોઈએ, કારણ કે આપણને સંપૂર્ણ ખાત્રી છે કે શ્રી વીતરાગ પ્રભુ રાગ અને દ્વેષથી રહિત છે, એમને કેઈને પણ પક્ષ છે નહિ, જેથી તેઓ કદીપણ જૂઠું બેલેજ નહિ. શ્રી સર્વજ્ઞ પ્રભુએ કેવળજ્ઞાનમાં જેમ દીઠું તેમ ફરમાવ્યું છે અને તે સર્વ સત્યજ છે.
શ્રી જિનેશ્વર દેવે જે જે ફરમાવ્યું છે તેમાંથી અહીંઆ કંઈક જરૂરનું જાણી લેકમાં કહે છે. ___ श्लोक-सूत्रार्थ मार्गण महाव्रत भावना च ।
पंचेंद्रियोपशमतातिदयाभावः ॥ बंधप्रमोक्षगमनागति हेतु चिंता । ध्यानं तु धर्ममिति तत् प्रवदन्ति तज्ज्ञाः॥
(સાગાર ધર્મામૃત) અર્થ–-સૂત્રને અર્થ, જીવોની માર્ગણા, મહાવ્રતની ભાવના, પાંચ ઈદ્રિને દમવાને વિચાર, દયાર્દ્રભાવ, કર્મથી બંધન અને મુક્ત થવાના ઉપાય અને વિચાર, ચાર ગતિ અને સતાવન હેતુની ચિંતવણ, એ વગેરે વિચાર કરે તેને શ્રી તત્ત્વજ્ઞ પ્રભુએ ધર્મ ધ્યાનને યાતા કહો છે.
ધ્યાન કરનારને પ્રથમ સૂત્ર જ્ઞાનની ઘણી જરૂર છે તેથી અહીંઆ પ્રથમ શ્રુતજ્ઞાતનું વર્ણન કરે છે,