________________
સપ્તમ પત્ર--“ધ્યાન. તા પ્રત્યેનાત ધ્યાન” ધારણું કેડે ધ્યાન થાય છે. જેની ધારણા કરી હોય તેમાં અખંડ રીતે એક ચિત્ત કરવું તેને ધ્યાન કહે છે.
ધ્યાનના વિષયને આ આ ગ્રંથ છે તે પણ કંઈક અહીં જણાવે છે. ધ્યાનના બે ભેદ છે. (૧) નવકાર, ન થુર્ણ, લેગસ્ટ, છે, મન, અગર બીજી રીતે તો છું, તરંવમણિ, ગદં વારિ, ઈત્યાદિ પદનું આલંબન લઈ ધ્યાન ચિતન કરે, તથા કેઈપણ બાહ્ય તથા અત્યંતર (= આત્મભાવ), પ્રત્યક્ષ કે પરોક્ષ પદાર્થ (= પરભાવ) પર દ્રષ્ટિ સ્થાપન કરી તે પદાર્થના દ્રવ્ય, ગુણ,, પર્યાયને જ્ઞાન ભાવથી વિચાર કરે તેને સાલંધ્યાન કહે છે. (૨) ફક્ત આત્મ દ્રવ્યનું સંકલ્પ વિકલ્પ રહિત ચિંત્વન થાય તેને નિરાલંબેધ્યાન કહે છે. એ પ્રમાણે ધ્યાન કરવાથી સમાધિની પ્રાપ્તિ થાય છે તે જણાવે છે.
અષ્ટમ પત્ર–“સમાધિ". " तदेवार्थमात्रानासं स्वरूपशुन्यमिव समाधिः"
અથત–-ધ્યાન પછી સમાધિ થાય છે. સમાધિ વખતે ધ્યાતા પિતાનું ભાન ભૂલી જઈ ધ્યેય રૂપ બની જાય છે, અને આત્માને અનુભવ સંપૂર્ણતાથી મળે છે. સંકલ્પ વિકલ્પ રહિત વૃત્તિ થવાથી આત્મામાં સંપૂર્ણપણે રમણતા થાય છે અને તેથી જ અખંડ સુખને ભોક્તા બને છે. આવા સમાધિવંત મહાત્માઓની મુખ મુદ્રા હમેશાં પ્રફુલ્લિત, વચને શીતળ અને વિષય રહિત તથા કાયા અત્યંત ગૈરવ ગુણધારક, નિશ્ચળ, અકુટિલ અને કેઈને પણ દુઃખ ન ઉપજે એવી થઈ જાય છે.