________________
[ ૨૮ ]–
– રાજેશ્વર મતીર્થ જિનાલય બંધાવીને તેમાં તેમણે ઉક્ત મૂર્તિને ભક્તિથી પધરાવી. શંખ વગાડવાના કારણે આ નગરનું નામ શેખપુર અને ઉક્ત પ્રતિમાજીનું નામ શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ લોકેામાં પ્રસિદ્ધ થયું. ત્યારપછી આ પ્રતિમાજી લગભગ સાડી છયાસી હજાર વર્ષો સુધી શ્રીશંખેશ્વર ગામમાં રહી. કાળક્રમે વિક્રમ સંવત્ ૧૧૫૫માં શ્રીમાન સજજન શેઠે નવીન જિનપ્રાસાદ બંધાવીને શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીની ઉક્ત પ્રતિમાજીને તેમાં પધરાવી, જે અત્યાર સુધી ત્યાં ભવ્ય પ્રાણુઓથી પૂજાય છે. વિ. સં. ૧૧૫૫ પછી આ જિનાલયના જીર્ણોદ્ધાર થયા છે. તેની હકીક્ત આગળ ઉપર જીર્ણોદ્ધાર” પ્રકરણમાં વિસ્તારથી આપી છે.
આ મૂર્તિને ગઈ વીશીમાં આષાઢી શ્રાવકે અથવા તે સૈધમેન્દ્ર ભરાવ્યાનું ઉપર જણાવવામાં આવ્યું છે પણ તેમાં એક પ્રશ્ન અવશ્ય ઊભું થાય છે અને તે એ કે-“ઔદારિક પૃથ્વીકાયનાં પુદગલોથી બનેલી આ મૂર્તિ લગભગ અઢાર કેડીકેડી સાગરોપમ કાળ સુધી રહી કેમ શકે? આ ખુલાસે, તપાગચ્છીય મુનિ રત્નવિજયજીએ રચેલ “શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ ચઢાળિયું સ્તવન” (સ્તોત્ર પપ)ની ચોથી ઢાળમાં સ્પષ્ટ રીતે આપે છે કે...(૧) અધિષ્ઠાયક દેવના પ્રભાવ–સંરક્ષણથી, (૨) તેવા પ્રકારના પ્રયોગ–પ્રયત્નોથી, (૩) લેપ વગેરે કરતા રહેવાથી અને (૪) પ્રાયોગિક પ્રદેશમાં (તેની રક્ષા થઈ શકે તેવા ભિન્ન ભિન્ન સ્થાનોમાં) જવાથી મૂર્તિઓ ઘણું કાળ સુધી પણ રહી શકે છે. ઉપર્યુક્ત પ્રશ્નને ઉત્તર, ઉક્ત સ્તવનમાં આપેલા ખુલાસાથી સ્પષ્ટ રીતે મળી જાય છે.