________________
પ્રકરણ પાંચમું મૂર્તિની ઉત્પત્તિ અને તેને પ્રાચીન ઈતિહાસ
આ મૂર્તિની ઉત્પત્તિ
ગુજરાતમાં આવેલા વઢીઆર દેશમાં શ્રીશંખેશ્વરતીર્થની ઉત્પત્તિ ક્યારે અને શા કારણથી થઈ તે આપણે ગયા પ્રકરણમાં જોયું. હવે મૂળનાયક શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિની ઉત્પત્તિ ક્યારે થઈ?, તે કેટલી પ્રાચીન છે?, તે ક્યાં ક્યાં પૂજાણી, અને તે સંબંધમાં ગ્રંથકારે શું કહે છે? તે આપણે આ પ્રકરણમાં જોઈએ.
આ પુસ્તકના સ્તોત્રાંક ૪૬, ૫૦, ૫૫, ૬૬, ૭૧, ૮૬, ૭, ૯૪, ૯૮, ૧૦રમાં લખ્યું છે કે–ગઈ વીશીમાં થયેલા નવમા તીર્થંકર શ્રીદાદર જિનેશ્વર પ્રભુને તેમના ભક્ત સમક્તિી અને વ્રતધારી આષાઢી નામના શ્રાવકે પોતાને સંસારમાં કેટલા કાળસુધી ભ્રમણ કરવાનું બાકી છે, તે જાણવાની ઈચ્છાથી પૂછ્યું કે “હે ભગવન્! મારી મુક્તિ ક્યારે અને કેના સમયમાં થશે?” ત્યારે તે દયાળુ પ્રભુએ ઉત્તર આપે - ૧ ઑ. ૪૬ માં ગઈ એવીશીના શ્રીરામે દરજિનને આઠમા લખ્યા છે, તે ઠીક નથી. સ્ત. ૫૦, ૯૮, ૧૦૨ માં તથા “અભિધાન ચિન્તામણિ” કોષ, દેવાધિદેવકાંડ, લે. ૫૧; “પ્રવચનસારોદ્ધાર” દ્વાર ૭, ગાથા ૨૯૦; શ્રી પ્રદ્યુમ્નસૂરિત “વિચારસારપ્રકરણ” ગાથા ૫૬ વગેરે ગ્રંથોમાં પણ નવમાં જણાવેલ છે.