________________
[ ૨૨ ]
– રાજેશ્વર મહાતીર્થ ચાલ્યું. અંતે પ્રતિવાસુદેવ જરાસંધ,તેના પુત્ર અને કેટલાક રાજાઓ મરાયા. શ્રીકૃષ્ણને વિજય થયો, એટલે તે ઠેકાણે શ્રીકૃષ્ણ હર્ષને જણાવનારે શંખનાદ કર્યો. શ્રીકૃષ્ણના સૈન્યના બધા માણસો આનંદને લીધે નાચવા કૂદવા લાગ્યા.
શ્રીકૃષ્ણ ઉદારતા રાખી જરાસંધના પુત્ર કુમુદ, સહદેવ વગેરેને રાજગૃહીનું રાજ્ય આપ્યું.
મહાપ્રાભાવિક પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિના માહામ્યપ્રભાવથી જરા નષ્ટ થઈ હોવાથી શ્રીઅરિષ્ટનેમિ કુમાર (શ્રીનેમિનાથ ભગવાન)ની સૂચનાથી (તે. ૧) સેનપલ્લી ગામને ઠેકાણે, જ્યાં પોતાને જય થયો હતો તેની પાસે એક નવું નગર વસાવ્યું. જય થવાથી પિતે ત્યાં શંખ વગાડે તેથી તે નગરનું નામ શંખપુર રાખ્યું. તેમાં
૧ “પદ્માવતી દેવીની સૂચનાથી” સ્તોત્ર ૮૦
૨ સ્ત૩પમાં સેનપલ્લી ગામને ઠેકાણે જ શંખપુર નગર વસાવ્યાનું લખ્યું છે. અત્યારે શએશ્વરની આસપાસમાં સેનપલ્લી નામનું કોઈ ગામ વિદ્યમાન નથી. તેથી સેનપલ્લીને ઠેકાણે જ શંખપુર વસાવ્યું હોય એ વધારે બંધબેસતું જણાય છે.
- ૩ ઑ૦ ૩૩, ૪૨, ૪૫, ૬૭, ૯૪, ૧૦૩, ૧૦૬, ૧૪૧ વગેરેમાં શ્રીકૃષ્ણ વગાડેલા શંખના નિમિત્ત અને સ્તો૦ ૨, ૧૮, ૨૨, ૨૪ વગેરેમાં શ્રીઅરિષ્ટનેમિ કુમારે સૈન્યનું રક્ષણ કરતી વખતે વગાડેલ શંખના નિમિત્તે નવા વસાવેલા નગરનું નામ શેખપુર પાયાનું લખ્યું છે. એ બેમાંથી ગમે તેણે પણ છતની ખુશાલીના પ્રસંગે વગાડેલા શંખના નિમિત્તે નવીન વસાવેલ નગરનું નામ શંખપુર રાખવામાં આવ્યું હતું, અને એ જ કારણથી ધરણેન્દ્ર નાગરાજે આપેલ મહાપ્રાભાવિક શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની આ મૂર્તિનું શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ નામ પ્રસિદ્ધિમાં આવ્યું (તે ૬૭, ૮૦, ૮, ૧૦૩).