SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ v૦ ૪ તીર્થની ઉત્પત્તિ ] – ૨૨ ]. ઉપર છંટાવ્યું, જેથી જરા વિદ્યા નાસી ગઈ. શ્રીકૃષ્ણનું બધું સભ્ય હતું તેવું તૈયાર થઈ ગયું. ફરી મહાભયંકર યુદ્ધ - ૨ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજે ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર, ” પર્વ ૮, સર્ગ ૭-૮માં શ્રીકૃષ્ણજરાસંધના યુદ્ધના પ્રસંગમાં શ્રીકૃષ્ણ દ્વારિકાથી ઈશાન ખૂણામાં ૪૫ જન* (જન=ચાર ગાઉ) દૂર જઈને સેનાપલી ગામની પાસે પિતાના સૈન્યને પડાવ નાખે. તેનાથી એક યોજન દૂર જરાસંધના સૈન્યને પડાવ હતે. મહાભયંકર યુદ્ધ થયું. પાંડવોએ કૌરવોને માર્યા. અરિષ્ટનેમિ કુમારે લાખો રાજાઓને હરાવ્યા. જરાસંધના પક્ષની ઘણી જ અને શ્રીકૃષ્ણના પક્ષની પણ થોડીક ખુવારી થઈ. અંતે જરાસંધ શ્રીકૃષ્ણના હાથે મરા, અને શ્રીકૃષ્ણને જય થયો. તેથી તેના સૈન્યના માણસો ત્યાં આનંદથી કૂદવા લાગ્યા, એટલે શ્રીકૃષ્ણ ત્યાં આનંદપુર નામનું નગર વસાવ્યું–વગેરે લખ્યું છે. પણ જરાસંધે જરા વિદ્યા મૂકયાની, જરાનું નિવારણ કર્યાની અને શ્રીશંખેશ્વર તીર્થની ઉત્પત્તિ સંબંધીની વાત અંશમાત્ર પણ આમાં લખી નથી. તેમજ (૧) શ્રીમાન શીલાંકાચાર્યવિરચિત “ચઉપન્ન મહાપુરિસચરિયું' નામના પ્રાકૃત ગ્રંથમાંના શ્રીનેમિનાથ પ્રભુ તથા શ્રીકૃષ્ણ ચરિત્રમાં (૨) મલવારી શ્રીદેવપ્રભસૂરિજીત પાંડવ ચરિત્ર પદ્ય મહાકાવ્યમાં; અને (૩) મલધારી શ્રીહેમચંદ્રસૂરિ. રચિત પ્રાકૃત “શ્રીનેમિનાથ ચરિત્રમાં શ્રીકૃષ્ણ અને જરાસંધના યુદ્ધના પ્રસંગમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ તીર્થની ઉત્પત્તિ સંબંધી કંઈ પણ ઉલ્લેખ નથી. પ્રથમના બે ગ્રંથમાં શ્રીકૃષ્ણ-યાદવને વિજય થયો તે સ્થાનને આનંદપુર તરીકે ઉલ્લેખ કર્યો છે. અર્થાત આનંદપુર પાસે વિજય પ્રાપ્ત થયાનું લખ્યું છે. * ગુજરાતમાં પાટણ તરફમાં ૧ માઈલને ગાઉ અને કેઈ કોઈ ઠેકાણે તે એક માઈલને ગાઉ ગણાતું હોવાથી તે હિસાબે ૪૫ પેજન ધી શકે છે,
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy