________________
[ ૨૦ ] -
– શ્યર મતીર્થ ફેરવવા માંડ્યો. અને શ્રીઅરિષ્ટનેમિકુમારે લઘુલાઘવી કળાથી હજારે બાણેને વરસાદ વરસાવી તે રાજાઓમાંથી કેટલાકનાં મુગટ, કુંડળ, છત્ર, ચામર અને કેટલાકનાં રથનાં પૈડાં, કળશ, ધજા વગેરે છેદી નાંખ્યાં. પણ અરિષ્ટનેમિકુમાર મહાદયાળુ હેવાથી કઈ પણ મનુષ્ય કે પશુઓના શરીરને નુકશાન પહચાયું નહીં. શ્રીઅરિષ્ટનેમિકુમારને તાપ સહન નહીં કરી શકવાથી થાકીને તેઓ પોતાના પડાવમાં પાછા ગયા. એમ ત્રણ દિવસ સુધી તેમણે શ્રીકૃષ્ણના સિન્યની રક્ષા કરી. ત્રીજા દિવસની મધ્ય રાત્રિએ ધરણેન્દ્રની આજ્ઞાથી પદ્માવતી દેવીએ પ્રત્યક્ષ થઈને શ્રીકૃષ્ણની યાચના મુજબ શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમા (પોતે તેની પૂજા કરતી હોવાથી. પિતાની ઈચ્છા નહીં હોવા છતાં શ્રીકૃષ્ણના આગ્રહથી) તેમને આપી. આ મૂર્તિના દર્શનથી શ્રીકૃષ્ણને અત્યંત આનંદ થયે. પ્રાતઃકાળમાં તે મૂર્તિનું બહુ ભક્તિપૂર્વક પ્રક્ષા- . લન કરીને તે સ્નાનનું જળ શ્રીકૃષ્ણ પિતાના આખા સૈન્ય
૧ આ મૂર્તિ શ્રીકૃષ્ણને નાગરાજ ધરણેન્ટે આપ્યાનું તે. ૨, ૩૪, ૩૮, ૪૧, ૪૨, ૪૬, ૫૦, ૫૪, ૫૬, ૯૮, ૧૦૨, ૧૦૩, ૧૦૬ વગેરે ઘણું સ્તોત્રમાં લખ્યું છે. સ્ત. ૧૭, ૩૩, ૩૯, ૬૬, ૯૩, ૯૪, ૧૪૧ વગેરે સ્તોત્રોમાં ધરણંદ્રની આજ્ઞાથી પદ્માવતી દેવીએ પ્રકટ થઈને આપ્યાનું તથા તેત્રાંક ૧૮માં શ્રીકૃષ્ણને તપના પ્રભાવથી પાતાળમાંથી પ્રાપ્ત થયાનું લખ્યું છે. જ્યારે ફક્ત એક જ સ્તોત્ર (નં. ૧) માં લખ્યું છે કે–આ મૂર્તિ સૌધર્મ દેવલોકમાં પૂજાતી હતી. શ્રીઅરિષ્ટનેમિ કુમાર શ્રીકૃષ્ણને આ મૂર્તિ સંબંધી વાત કરતા હતા, તે અવધિજ્ઞાનથી જાણીને સૌધર્મેન્દ્ર માતલી સારથી અને રથ સાથે આ મૂર્તિ શ્રીકૃષ્ણને મોકલી આપી.