________________
g૦ રૂ : રસ્તા ]
– ૨૨ ] માંડલ વિરમગામ તાબાનું સારું ગામ છે. વેપારનું સામાન્ય મથક છે. અહીં વીશા શ્રીમાળી શ્રાવકોનાં ઘર ૩૦૦, ભવ્ય દેરાસરે ૫, નાના મોટા ઉપાશ્રય ૭, જૈન સંસ્કૃત પાઠશાલા, જેનશાલા, જેન ધર્મશાલા, મેટી પાંજરાપોળ વગેરે છે. દેરાસરે દર્શન કરવા લાયક છે.
પંચાસર રાધનપુર સ્ટેટનું ઘણું પ્રાચીન, એતિહાસિક ગામ છે. અહીં હાલમાં વીશા શ્રીમાળી શ્રાવકોનાં ઘર ૧૯, દેરાસર ૧, ઉપાશ્રય ૨ વગેરે છે. ગામના પશ્ચિમ તરફના ઝાંપામાં એક જૂનું જૈન દેરાસર જીર્ણ દશામાં ખાલી ઊભું છે. આ દેરાસર પણ અર્વાચીન છે. પાટણમાં પંચાસર પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય છે, તે મૂર્તિ પંચાસરના ભંગ વખતે અહીંથી ત્યાં લઈ જઈને બિરાજમાન કરવામાં આવી હતી.
૧ પંચાસરથી પૂર્વ દિશામાં ચાર માઈલ દૂર એરવાડા નામનું ગામ છે. તે ગામમાં એક મકાનનો પાયો ખોદતાં લગભગ દશેક વર્ષ ઉપર જમીનમાંથી શ્રી આદીશ્વર ભગવાનની મોટી મૂર્તિ પંચતીથી પરિકર સાથે નીકળી છે. તે મૂર્તિની ગાદી પર વિ. સં. ૧૧૦૭નો સુસ્પષ્ટ લેખ છે. તે લેખ પરથી જણાય છે કે તે મૂર્તિ એરવાડા ગામના દેરાસરમાં જ મૂલનાયક તરીકે પહેલાં બિરાજમાન હતી. મુસલમાની રાજ્યકાળમાં લડાઈના ભયને લીધે જમીનમાં ભંડારી દીધી હશે. આ મૂર્તિ જમીનમાંથી કાઢતી વખતે ગામડાના લેકેથી ગરદનથી ખંડિત થયેલી છે. પણ કાઉસગ્ગીયા તથા પરિકર બરાબર સાબુત છે. એરવાડામાં અત્યારે શ્રાવકનું એક ઘર નથી. ઉક્ત મૂર્તિ એરવાડાના ઠાકર મંદિરમાંની એક ઓરડીમાં ગામના લેકેએ રાખી છે. ત્યાંને પૂજારી ધૂપ-દીપની પૂજા કરે છે. એરવાડા વદ સ્ટેટનું ગામ છે. સાંભળ્યું છે કે-વાદના નવાબ ઉક્ત મૂર્તિને બહારગામ લઈ જવાની ના કહે છે; એરવાડામાં જ દેરાસર કરીને પધરાવવાનું કહે છે.