SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૦] – – બ્રેશ્વર મતી બપોરે લગભગ ૧૧ વાગ્યે પહોંચીને ત્યાંથી ૧૧ વાગ્યે ઊપડીને લગભગ રા વાગ્યે વીરમગામ સ્ટેશને પહોંચી જાય છે. ઉનાળામાં બન્ને ખટારા શંખેશ્વરજીમાં બપોરે ૧૧ વાગે ભેગા થાય છે. વીરમગામથી શંખેશ્વરજી સુધીનું મોટરભાડું રૂા. ૧–૮–૦ છે. તેમજ રાધનપુરથી શંખેશ્વરજી સુધીનું મેટરભાડું પણ રૂ. ૧-૮-૦ છે. પરંતુ જે વીરમગામથી રાધનપુર સુધીની અથવા તે રાધનપુરથી વીરમગામ સુધીની સળંગ ટીકીટ લીધી હોય તો રૂા. ૨–૮–૦ લાગે છે. સળંગ ટીકીટ લીધી હોય તે વચ્ચે શંખેશ્વરજીમાં ઊતરીને રોકાઈ શકાતું નથી. પરંતુ પેસેંજરેની દર્શન કરવાની ઈચ્છા હોય તે શેખેશ્વરજીમાં આવતા અને જતા બન્ને ખટારા વીશ મીનીટ ઊભા રાખે છે. તેથી પેસેંજરે દર્શનનો લાભ લઈ શકે છે. વરસાદના દિવસે માં મેટરસવીસ બંધ રહે છે. આ મોટરસવીસમાં ફર્સ્ટ કલાસ કે સેકંડ કલાસ નથી; બધી બેઠક સરખી જ હોય છે. તેમ રીટર્ન ટીકીટ મળતી નથી. વીરમગામ મોટું શહેર છે. સ્ટેશન ઉપર સાર્વજનિક ધર્મશાલા અને વીશીઓ છે. ગામમાં શ્રાવકનાં ઘર ૪૦૦, ભવ્ય દેરાસરે ૬, મોટા ઉપાશ્રયે ૨, (ઉપરાંત નાના ઉપાશ્રેય ઘણા છે.) પૂજ્યપાદ ગુરુદેવ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી સ્થપાયેલ શ્રી જૈનધર્મવિજય પુસ્તકાલય અને જેનપાઠશાલા, ઝવેરી તરફથી નવી થયેલી જૈનધર્મશાલા (ઉપાશ્રય)માં જૈન સંસ્કૃત પાઠશાલા, જેનધર્મશાલા, માટી પાંજરાપોળ વગેરે છે. દેરાસરે દર્શન કરવા યોગ્ય છે.
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy