________________
ઈ ૧૨ ]–
– રેશ્વર તીર્થ રાધનપુર રાધનપુર સ્ટેટનું મુખ્ય શહેર છે. સામાન્ય શહેર છે. અહીં પહેલાં શ્રાવકેની વસ્તી વધારે હતી. અત્યારે પણ શ્રાવકેનાં ઘર ૭૦૦, દેરાસર ૨૬, ઘણું ઉપાશ્રયે, જૈન પાઠશાલાઓ, જેન કન્યાશાલાઓ, શ્રાવિકાશાલા, જેન વિદ્યાર્થી ભવન, આયંબિલ–વર્ધમાનતપ ખાતું, જેન દવાખાનું, જૈન સેનેટેરીયમ, જૈન ધર્મશાલા, જેન જ્ઞાનભંડારે, વિજયગચ્છ અને સાગરગચ્છની પેઢીઓ વગેરે છે. ખાસ યાત્રા કરવા લાયક છે.
સમી રાધનપુર સ્ટેટના એક મહાલનું મુખ્ય ગામ છે. અહીં શ્રાવકનાં ઘર ૮૫, શ્રી મહાવીર સ્વામી ભગવાનનું ભવ્ય દેરાસર ૧, ઉપાશ્રયે , જેની પાઠશાલા ૧, જેન શ્રાવિકા અને કન્યાશાલા ૧, શ્રી જૈન ધર્મભક્તિ જ્ઞાનમંદિર વગેરે છે. યાત્રા કરવા યોગ્ય છે.
મુંજપુર રાધનપુર સ્ટેટના એક મહાલનું મુખ્ય ગામ છે. અહીં શ્રાવકનાં ઘર ૨૨, દેરાસર ૨, ઉપાશ્રય ૧, જૈન ધર્મશાલા ર છે. બન્ને જૈન ધર્મશાળાનું સમારકામ થવાની જરૂર છે. ગામ પ્રાચીન છે. દેરાસરે દર્શન કરવા લાયક છે.
(૩) હારીજ સ્ટેશનથી નૈઋત્ય ખૂણામાં શંખેશ્વરજી ૧૫ માઈલ દૂર થાય છે. હારીજથી મુંજપુર થઈને શંખેશ્વર જવાય છે.
હારીજ ગાયકવાડ સ્ટેટના તાલુકાનું ગામ છે. ગામ ઠીક છે. વેપારનું મથક છે. અહીં જેન ધર્મશાલા એક છે, તેમાં એક દેરાસર અને એક ઉપાશ્રય છે. યાત્રાળુઓને માટે સર્વ પ્રકારની સગવડ છે. અહીં શ્રાવકોનાં ઘર ૪૦ છે. અહીંથી