________________
પંચતીથી અને માર્ગમાં આવતાં ગામની હકીકત અને ત્રીજામાં શ્રી શંખેશ્વરજીની ત્રણ પ્રદક્ષિણ અને તેમાં આવતાં ગામેનું વર્ણન આપેલું છે. તેને છેડે થેડી પુરવાણું અને પુરવણીનું અનુસંધાન આપેલ છે. પ્રકરણે છપાઈ ગયા પછી જે જાણવામાં આવ્યું તે આ પુરવણીમાં આપેલ છે.
બીજા ભાગના, ૧ પ્રાકૃત–સંસ્કૃત વિભાગ, ૨ પ્રાકૃત–સંસ્કૃત ઉત વિભાગ, ૩ ગુજરાતી હિન્દી વિભાગ, અને ૪ ગુજરાતી-હિન્દી ઉદ્ધત વિભાગ, આમ મુખ્ય ચાર વિભાગો પાડવામાં આવ્યા છે. તે દરેકમાં ચેડા થડા પેટા વિભાગ પણ રાખવામાં આવેલ છે. જે જે વિભાગનું મેટર છપાઈ ગયા પછી તે તે વિભાગનું નવું મેટર પાછળથી મળ્યું તેને “અનુપૂર્તિ” નામનો પાંચમો વિભાગ રાખીને વિભાગના અનુક્રમ પ્રમાણે આપવામાં આવ્યું છે. અને અનુપૂર્તિનું મેટર પણ પ્રેસમાં મોક્લી આપ્યા પછી જે કંઈ મેટર મળ્યું તે વિભાગના અનુક્રમ વિના જ તેને છેડે આપ્યું છે.
શ્રી શંખેશ્વરજી સંબંધી જે જે કલ્પ, સ્ત, સ્તુતિ, શલાકા, છંદ, સ્તવનાદિ સંપૂર્ણ કે અપૂર્ણ મળ્યું છે, તેને બીજા ભાગમાં તે તે ભાષાના વિભાગમાં કૃતિઓ તરીકે આપેલ છે, અને બીજા ગ્રંથમાંથી શ્રી શંખેશ્વરજી સંબંધી જે જે ઉલ્લેખો મળી આવ્યા તે. તે તે ભાષાના ઉદ્દત વિભાગમાં આપેલ છે. આ બીજા ભાગમાં સ્તુતિ-સ્તેત્રાદિ કૃતિઓ બધી મળીને કુલ ૧૨૪ અને બીજા ગ્રંથેમાંથી ઉતારેલ ઉતારા ૬૦ આપેલા છે.
આમાં આપેલાં સ્તુતિ-સ્તોત્રાદિ કૃતિઓ અને ઉતારામાંથી કેટલાંક આ તીર્થ સંબંધી ઐતિહાસિક સામગ્રી પૂરી પાડે છે, કેટલાંક સ્તુતિપ્રધાન જ છે, જ્યારે કેટલાંકમાંથી તે બન્ને વસ્તુ મળી આવે છે. આમાંની કેટલીક સ્તુતિ-સ્તોત્રાદિ કૃતિઓ સુંદર રીતે કાવ્યની દૃષ્ટિથી રચાયેલી છે, જ્યારે કેટલીક ભાષાની દૃષ્ટિએ સામાન્ય હેવા