SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિસમેલન પૂર્ણ થતાં ત્યાંથી વિહાર કરીને રાધનપુર ચોમાસું કરવા જતાં અને ત્યાં ચોમાસું પૂર્ણ કરીને ત્યાંથી પાછા ફરતાં સં. ૧૯૯૧ માં આ તીર્થની યાત્રા કરી હતી. તે વખતે અહીં બે-ત્રણ માસની સ્થિરતા કરી, અહીંથી ઝીંઝુવાડા, ઉપરિયાળા અને સમી સુધી વિહાર (ભ્રમણ) કરી આવીને શંખેશ્વરજી જવાના રસ્તાઓ અને તેમાં વચ્ચે આવતાં તમામ ગામની હકીકત મેળવી લીધી. તે દરમ્યાન અહીંના જના તથા નવા મંદિરના બાકી રહેલા તમામ શિલાલેખ ઉપરાંત ધર્મશાળા અને સરઈ (સુરભી)ના શિલાલેખ પણ ઉતારી લીધા. આમાં આપેલ મૂર્તિઓની સંખ્યા, વ્યવસ્થા, મેળા વગેરેની વિશેષ હકીકત પણ સં. ૧૯૯૧ માં લખી લીધી હતી. ત્યારપછી કરાંચીથી પાછા ફરતાં કચ્છમાં થઈ આદીસરનું રણ ઊતરી કાઠિયાવાડ જતાં સં. ૧૯૯૫ ના વૈશાખ માસમાં આ તીર્થની યાત્રા કરી હતી. તે વખતે ચમત્કારે સંબંધી દંતકથાઓ અને જાણવા યોગ્ય બીજી વિશેષ હકીકતે નેંધી લીધી હતી. તથા ખારસેલ, તળાવ, ઝંડો , બગીચે, ઉંટવાળિયું ખેતર વગેરે સ્થાનેની માહિતી મેળવી હતી. દરેક વખતે વિશેષ હકીકત જાણવામાં આવી તે બેંધી લીધી હતી. શ્રી અર્બદ પ્રાચીન જૈન લેખ સંદેહનું કાર્ય પૂર્ણ થતાં આ પુસ્તક લખવાનું કામ હાથમાં લેવામાં આવ્યું હતું, અને શ્રી શંખેશ્વર પાર્શ્વપ્રભુજીના અધિષ્ઠાયક દેવની પ્રસન્નતાથી જ તે કામ આજે પૂર્ણ થઈ ગ્રંથરૂપે પ્રસિદ્ધ થાય છે. પદ્ધતિ–આ પુસ્તકના બે ભાગ પાડવામાં આવ્યા છે. તેમાં પહેલા ભાગમાં આ તીર્થનું ઐતિહાસિક અને વર્તમાનકાલિક વર્ણન આપવામાં આવ્યું છે. આ પ્રથમ ભાગમાં ૧૬ પ્રકરણે આપવામાં આવ્યાં છે. તે પ્રકરણનાં નામ ઉપરથી જ તેમાં શું હકીક્ત આપી છે? તે સમજી શકાય તેમ છે. તેની પછી ત્રણ પરિશિષ્ટો આપ્યાં છે. તેમાંના પહેલા પરિશિષ્ટમાં અહીંના તમામ (૬૫) શિલાલેખો ગુજરાતી ભાષાંતર સાથે આપેલા છે. બીજા પરિશિષ્ટમાં શંખેશ્વરજીની
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy