________________
यक्षराट् श्रीमणिभद्रो विजयतेतराम् । Locaceae arease
છે કિંચિ વક્તવ્ય
ઉદ્દભવ–પાલણપુરમાં ચોમાસું પૂર્ણ કરીને ત્યાંથી વિ. સં. ૧૯૮૮ માં સિદ્ધાચળ જતાં માર્ગમાં મેત્રાણા, પાટણ અને ચારૂપની યાત્રા કરી, અને શ્રી શંખેશ્વરજી ગયા હતા. પરમ શાંતિદાયક આ તીર્થની યાત્રા કરતાં અમને અપૂર્વ આનંદ આવ્યો. આ તીર્થ અતિ પ્રાચીન અને અપૂર્વ પ્રભાવિક હેવા છતાં અહીંની ઐતિહાસિક અને વાતમાનિક તમામ હકીકત યાત્રાળુઓના જાણવામાં આવે એવું કંઈપણ સાધન નહિ હેવાથી ઐતિહાસિક દૃષ્ટિથી અને એક ભેમિયાની ગરજ સારે તેવું, આ તીર્થના અંગે એક પુસ્તક લખવાને વિચાર મને ઉદ્દભવે. અહીંના તે વખતના મુનીમ શાહ વાડીલાલ દેવસીભાઈ લીંબડીવાળા (જેઓ હાલ ભયનું તીર્થમાં મુનીમ છે ) અને રાધનપુરનિવાસી શ્રીયુત વૃદ્ધિલાલ મગનલાલ વીરવાડિયાની આ માટે વિશેષ પ્રેરણું થવાથી, વિહારની તાકીદ હોવા છતાં, બાર દિવસની અહીં સ્થિરતા કરીને આ તીર્થ સંબંધી ઘણી ખરી નોંધ કરી લીધી. જરૂરી કેટલાક શિલાલેખ પણ ઉતારી લીધા. ત્યાંથી વિહાર કર્યા બાદ ગ્રંથ અને ભંડારોમાંથી શ્રી શંખેશ્વરજી સંબંધીનું અન્વેપણ કરવાનું ચાલુ રાખ્યું. વિ. સં. ૧૯૯૦ માં અમદાવાદમાં મળેલ
૧. શ્રીયુત મણિલાલ ન્યાલચંદ શાહે લખેલ “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ નામક એક પુસ્તક જૈન સસ્તી વાંચનમાલા તરફથી પહેલાં પ્રકટ થયું હતું, જે હાલ અલભ્ય છે. એ પુસ્તક નવલકથા યા વાર્તા રૂપે હતું. જ્યારે આ પુસ્તક તેનાથી જુદી જ ઢબે ઘણી જ શોધખેળપૂર્વક ઐતિહાસિક દષ્ટિથી લખાયેલું છે.