________________
પર
ભાર્યા નવરંગદેની સાથે આત્મકલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ ભ૦ નું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છના અધીશ્વર ભટ્ટારક શ્રીહીરવિજયસૂરિના પટ્ટાલંકાર હાર સમા એવા ભટ્ટારક શ્રીવિજયદેવસૂરિએ, ૫૦ કુશલસાગરગણિ વગેરે પરિવાર સાથે પ્રતિષ્ઠા કરી. બુહરા (રા) રાજપાલે દામ વડે(પૂજા કરી?)
૪. શ્રી શાંતિનાથ ભવનું મંદિર શ્રીમહાવીરસ્વામી ભ૦ ના દેરાસર આગળ રસ્તે મૂકીને શ્રી શાંતિનાથ ભ૦નું દેરાસર આવેલું છે. તેની રચના ભ૦ મહાવીરસ્વામીના દેરાસર જેવી જ છે. આ દેરાસરને પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર તરફનાં દ્વાર છે. પશ્ચિમ તરફનું બારણું બંધ રહે છે. ઉત્તર તરફનું બારણું ખાસ કામ સિવાય બંધ રહે છે. માત્ર પૂર્વ તરફના બારણે અવરજવર ચાલુ છે.
આ મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, છ ચેકી, સભામંડપ, મુખ્ય દરવાજાની બંને બાજુએ આવેલી ૧૦ દેરીઓ અને ૧૦ ગોખલાઓ તેમજ શિખરથી સુશોભિત છે. મંદિરની પાછળને ભાગ ખુલે છે. ત્રણે બાજુના દરવાજાની શૃંગારચોકીઓ વગેરે બધું આરસપાષાણથી બનેલું છે.
મૂળગભારામાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભટ ની પરિકર વિનાની પ્રતિમા વિરાજમાન છે.
ગૂઢમંડપમાં પરિકરમાંથી છૂટા પડેલા ૪ કાઉસગ્ગિયા, ૨ ઇકો અને ૧ હાથ જોડીને ઊભેલા આવકની મૂર્તિ છે. આ બધુંયે મંડપમાં છૂટું મૂકી રાખેલું છે.