________________
ગાવા, તેની ભાર્યા ગેરદેના પુત્ર શા. નાનિઆકે, ભાર્યા નાનદેના પુત્ર સમજીની સાથે શ્રી. મહાવીર ભ૦ની પ્રતિમા ભરાવી અને તેની તપાગચ્છના ભટ્ટારક શ્રીહીરવિજયસૂરીશ્વરની પાટે સૂર્યસમા શ્રીવિજયસેનસૂરિના પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી વિજય દેવસૂરિએ આરાસણાનગરમાં પ્રતિષ્ઠા કરી. વહરા (વોરા) રાજપાલે દામવડે (પૂજા કરી.?)
૩. શ્રી પાર્શ્વનાથ ભવનું મંદિર શ્રીમહાવીરસ્વામી ભ૦ ના દેરાસરની પૂર્વ બાજુએ શ્રી પાર્શ્વનાથ ભટ નું ભવ્ય અને વિશાળ મંદિર છે. આ મંદિરની બાંધણી શ્રી નેમિનાથ ભવ ના મંદિર જેવી છે. આ મંદિરની પશ્ચિમ દિશાનું બારણું પેઢી આગળના ચોકમાં પડે છે અને એ બારણાથી વિશેષ અવરજવર રહેતી હેવાના કારણે ઉત્તર દિશાનું બારણું બંધ રાખવામાં આવ્યું છે.
આ મંદિર મૂળગભારો, ગૂઢમંડપ, છ ચેકી, સભામંડપ, શૃંગારકીઓ, બંને તરફ થઈને ૨૪ દેરીઓ, ૧ ગોખલે અને શિખરબંધી બનેલું છે. આખુંયે મંદિર આરસપાષણથી બંધાયું છે.
મૂળગભારામાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની સુંદર પરિકરયુક્ત એકતીથી મૂર્તિ વિરાજમાન છે. તેના ઉપર શ્રીવિજયદેવસૂરિએ પ્રતિષ્ઠા કર્યાને સં. ૧૬૭૫ને લેખ છે.
ગૂઢમંડપમાં શ્રી શાંતિનાથ તથા શ્રી પાર્શ્વનાથ પ્રભુની પરિકરયુક્ત બે કાઉસગ્ગિય પ્રતિમાઓ છે. તેના ઉપર