SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તેમનાં માતાપિતા વગેરે છે–બીજી બાજુએ શ્રીનેમિનાથ ભગવાનના પંચકલ્યાણકને ભાવ કેતરે છે. (૪) છઠ્ઠા ખંડમાં–મહાવીરસ્વામી ભગવાનને પાછલા સત્તાવીસ ભ તેમજ પંચકલ્યાણક અને તેમના જીવન સંબંધી વિશિષ્ટ ઘટનાઓ છે અને ચંદનબાળાના પ્રસંગો જેવા કેતપસ્યા, કાનમાં ખીલા ઠેકવા, ચંડકેશિયે નાગ વગેરે ઘટનાઓ છે. સાતમા ખંડમાં પણ–ઋષભદેવ ભગવંતના પંચ કલ્યાણકને ભાવ તથા ચાર, પાંચ હાથી, ઘેડા વગેરેને વિશિષ્ટ ભાવ છે. બધા ભાવ ઉપર નામે લખેલાં છે. (૫) ડાબી બાજુના સાતમા ખંડમાં–આચાર્ય મહારાજ સિંહાસન ઉપર બેઠેલા છે, શિષ્ય નમસ્કાર કરે છે અને ગુરુ તેમના ઉપર હાથ મૂકે છે. વળી, વચમાં બીજા આચાર્ય મહારાજ, જેઓ હાથ જોડીને નમસ્કાર કરે છે તેમની સામે ઠવણી–સ્થાપનાચાર્યજી પણ છે. તેવી જ રીતે પહેલી છતમાં પણ એવા જ ભાવે છે – એક છતમાં–આચાર્ય મહારાજ વ્યાખ્યાન આપી રહ્યા છે અને તેમની આગળ ચતુવિધ સંઘ આવીને ઉપદેશ સાંભળી રહ્યો છે. બીજા ભાગમાં આચાર્ય મહારાજ સાધુઓને દેશના આપી રહ્યા હોય એવું દેખાય છે. ત્રીજામાં દેવીઓની આકૃતિઓ કોતરેલી છે. તેની પાસેના ભાગમાં દેવેન નૃત્યને દેખાવ આપેલ છે. સાતમા ભાગમાં ભગવાન મહાવીરસ્વામી દેશના આપી રહ્યા છે. ત્યાં ગણધર ભગવંતે બેઠેલા છે અને સંઘના માણસો જુદા જુદા વાહને
SR No.006290
Book TitleAarasan Tirth Aparnam Kumbhariyaji Tirth
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1961
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy