SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨. શ્રી મહાવીર સ્વામી ભવનું મંદિર શ્રીનેમિનાથ ભ૦ ના દેરાસરની પૂર્વ બાજુની ટેકરીથી નીચા ભાગમાં ઉત્તરદિશાના દ્વારવાળું શ્રીમહાવીરસ્વામી ભ૦નું મંદિર છે. આ મંદિરને બીજાં પૂર્વ અને પશ્ચિમ તરફનાં દ્વાર પણ છે પરંતુ તે બંધ રાખવામાં આવે છે. પૂર્વ બાજુનું દ્વાર પેઢીના આગળ ચેકમાં પડે છે. આ મંદિર મૂળગભારો, ગૂઢમંડપ, ચેકી, સભામંડપ, શૃંગારકીએ, તેની સામે આઠ ગોખલા અને બંને તરફની આઠ–આઠ દેવકુલિકાઓ મળીને કુલ ૨૪ દેરીઓ અને શિખરથી સુશોભિત છે. આખુંયે મંદિર આરસપાષાણનું બનેલું છે. મૂળ ગભારામાં મૂળ ના. શ્રીમહાવીરસ્વામી ભ૦ ની એકતીથીના પરિકરયુક્ત મનહર અને ભવ્ય પ્રતિમા વિરાજમાન છે. મૂળનાયકની મૂતિ ઉપર સં૦ ૧૬૭૫ ને શ્રીવિજયદેવસૂરિએ આ આરાસણા નગરમાં પ્રતિષ્ઠા કર્યાને લેખ છે. મૂળનાયકના પરિકરની ગાદી નીચે સં. ૧૧૨૦ ને જૂની લિપિમાં લેખ છે. તેમાં પણ આરાસણના નામને ઉલ્લેખ કર્યો છે. આ ઉપરથી જણાય છે કે, આ મંદિર લગભગ એ સમયમાં કે તે પહેલાં બનેલું હોવું જોઈએ. મૂળનાયકની બંને બાજુએ એકેક યક્ષની તેમજ એક અંબાજી માતાની પ્રતિમા છે. - ગૂઢમંડપમાં પરિકરયુક્ત બે ભવ્ય કાઉસગ્ગિયા પ્રતિમાઓ છે. તે બંને ઉપરના લેખે કંઈક ઘસાઈ ગયા
SR No.006290
Book TitleAarasan Tirth Aparnam Kumbhariyaji Tirth
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1961
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy