________________
તેની આજુબાજુએ પથ્થરિયા પહાડે હતા, અથવા તેનાં સર્વ ઘરે પથ્થરનાં બનાવેલાં હતાં, જેથી બીજા શહેરથી તેનું વ્યક્તિત્વ ભિન્ન હતું. બીજું નામ
આરાસનાકર” જેનો અર્થ “પથ્થરની ખાણ” થાય છે તે ઉપરથી પણ એ જ નિર્ણય આવી શકે. ખરી રીતે એમ છે કે, પહેલાં જે ઈમારતે હતી તથા હાલ જે ઈમારતે છે તે પથ્થરની છે.”૧
શ્રી. કનૈયાલાલ ભાઈશંકર દવે આરાસણના નામ વિશે વાસ્તવિક ખ્યાલ આપે છે કે –
“અર નામ ધાતુવાચક છે અને અહીં ધાતુની ખાણે પ્રાચીન કાળમાં હતી એવા કેટલાક પુરાવાઓ મળે છે. વિચારશ્રેણ” માં પાસિલ નામના શ્રેષ્ઠીનું વૃત્તાંત છે, જેને ભગવતી અંબિકા–અંબાના કૃપાપ્રસાદથી આરાસણપુર નજીકમાં ધાતુની ખાણ મળી આવી અને તે ધનાઢય બન્યા. તેણે આરસપુરમાં તે દ્રવ્ય વડે એક ભવ્ય મંદિર બંધાવ્યું હતું. આ જ વૃત્તાંત ડાક ફેરફાર સાથે પુરાતન પ્રબંધસંગ્રહ” માં પણ સેંધાય છે. વિમળશાહને પણ અહીંથી પુષ્કળ દ્રવ્ય અંબાજીની કૃપા વડે મળ્યું હતું. તેણે પણ ધાતુની ખાણમાંથી દ્રવ્ય કઢાવ્યું હતું એવી કિવદંતી છે. આથી ધાતુની ખાણે આ પ્રદેશમાં હોવાના કારણે આ નગરનું “આરાસણ નામ
અવકન,
૧. જુઓ, “પ્રાચીન જૈન લેખસંગ્રહ' ભા. ૨ પૃ. ૧૮૨