________________
ઉલ્લેખ થયેલા છે.'
લોકોની માન્યતા મુજબ આરસણુકર એટલે જ્યાં આરસની ખાણે છે. આજે પણ અહીંની જરી વાવ પાસે એવી ખાણ મૌજુદ છે. ડૉ. ભાંડારકરે આ ગામના નામ વિશે જણાવ્યું છે કે –
“હવે એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે. આ જૂના શહેરનું નામ શું હશે? જેન દેવાલયના લેખમાં તેનું નામ
આરાસન” અથવા “આરાસનાકર” આપેલું છે. બાહ્યદૃષ્ટિથી જ માત્ર એમ સ્પષ્ટ છે કે, “આરાસન” એ શબ્દ “આરાસ” જેને ગુજરાતીમાં “પથ્થર” કહે છે તે હશે, જે આરાસુર પહાડોમાં અંબાજી તથા કુંભારિયાજી લુપ્ત થયાં તે પથ્થરને પહાડ છે. તેથી આ શહેર “આરાસન” કહેવાતું, એમાં કાંઈ શક નથી. કારણ કે
૧. જુઓ અર્બુદાચલપ્રદક્ષિણા શિલાલેખ સ દોહ (આબૂભાગ ૫) નં. ૩ને ૧૧૧૮ના શિલાલેખમાં “આરાસણા' નામ લખેલું છે એ જ પ્રકારે–
નં. ૧૪, સં . ૧૨૦૮, ' આરાસણાકર નં. ૧૭, સં૦ ૧૨૫૯, આરાસણ નં. ૨૧, સં. ૧૨૭૬, નં. ૨૪, સં. ૧૩૧૦, આરાસણનગર નં. ૨૬, સં૦ ૧૩૧૪, આરાસણા નં૦ ૩૧, સં. ૧૩૩૮, આરાસણકર નં. ૩૯, સં૦ ૧૬૭૫, આરાસણનગર નં. ૪૧, (સંવત નથી) આરાસણકર