________________
જિનરતુતયા ]
स्तुतिचतुर्विंशतिका એવાં ઉદાહરણે, યુક્તિઓ, તે અને સ્યાદ્વાદને જેણે એવા હે (નાથ)! હે અનુપમ (પરમેશ્વર )! અવિદ્યમાન છે આલસ્ય અને અભિમાન જેને વિષે એવી વિદ્વાનોની પંક્તિ વડે વન્દન કરાયેલા એવા [ અથવા હે અવિદ્યમાન છે આલસ્ય અને ગર્વ જેને વિષે એવા (જગદીશ) ! લક્ષમી વડે પૂજાયેલા એવા ] તને [મારો ] નમસકાર હેજો. ”—૨૯
સ્પષ્ટીકરણ ચન્દ્રપ્રભ-ચરિત્ર
ચન્દ્રપ્રભ પ્રભુને જન્મ મહાન રાજાની ચંદ્રપુરી નગરીમાં થયેલ હતો. આ રાજાની લક્ષ્મણ રાણી તેમની માતા થવા ભાગ્યશાળી થઈ હતી. એમને દેહ શ્વેત વર્ણને હતું તેમજ તે ચન્દ્રના લાંછનથી શોભતે હતે. વિશેષમાં તેનું પ્રમાણ એક સે પચાસ ધનુષ્ય જેટલું હતું. તીર્થકરને લગતી સંપૂર્ણ સંપત્તિને અનુભવ કરી, દશ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ થતાં તેઓ નિવણ–પદને પામ્યા. એ દૃષ્ટાન્ત એટલે શું?–
જે વડે સાધ્ય અને “સાધન પરત્વેના નિયમને નિશ્ચય થાય છે તે “દુષ્ટાન્ત” કહેવાય છે. “સાય” એટલે “સિદ્ધ કરવાની વસ્તુ અને સાધન” એટલે “ સિદ્ધ કરવામાં હેતુરૂપ વસ્તુ ” સમજવી. દષ્ટાન્તના સાધમ્ય અને વૈધર્યું એમ બે પ્રકારે છે. જ્યાં જ્યાં સાધનની સત્તા હોય ત્યાં ત્યાં સાધ્યની સત્તા જરૂરજ હોય એવા દષ્ટાતને “સાધર્મે દૃષ્ટાન્ત” કહેવામાં આવે છે. દાખલા તરીકે, જ્યાં જ્યાં ધૂમાડે છે, ત્યાં ત્યાં અગ્નિ છે, જેમકે રસોડું. જ્યાં સાધ્યને અભાવ હોય, ત્યાં સાધનને અભાવ હોય જ એવું દષ્ટાન્ત વૈધર્મી દષ્ટાન્ત” કહેવાય છે. જેમકે, જ્યાં જ્યાં અગ્નિને અભાવ છે, ત્યાં ત્યાં ધુમાડાને પણ અભાવ છે. દાખલા તરીકે જલાશય.
દુષ્ટાન્ત પણ દુષ્ટ હોઈ શકે છે, અર્થાત્ દૃષ્ટાન્તમાં તગત લક્ષણને અભાવ પણ સંભવી શકે છે. અન્ય શબ્દોમાં કહીએ તે દૃષ્ટાન્ત વ્યભિચારી પણ હોઈ શકે. પારિભાષિક શબ્દમાં આને “દુષ્ટાન્તાભાસ” તરીકે ઓળખાવવામાં આવે છે અને તેના નવ પ્રકારો પાડવામાં આવે છે.' હેતુથી શું સમજવું?
હેતુનું લક્ષણ અવિનાભાવ છે, અર્થાત્ જે વ્યાપ્ય તરીકે નિશ્ચિત છે તે હેતુ છે. આનું બીજું નામ “સાધન” પણ છે. આ હેતુનાં બૌદ્ધોએ માનેલાં ત્રણ લક્ષણે અને નૈયાયિકેએ. માનેલાં પાંચ લક્ષણે વ્યાજબી નથી. ઉપર્યુક્ત લક્ષણ કાફી છે. વળી હેતુ પણ દુષ્ટ સંભવી શકે છે અને તેવા હેતુને હેત્વાભાસ તરીકે ઓળખાવવામાં આવે છે.”
૧ વિશેષ માહિતી સારૂ જુઓ ન્યાયકુસુમાંજલિ (પૃ. ૧૪૩-૧૪૭).
ર હેતુ તેમજ હેત્વાભાસનું સ્વરૂપ ન્યાયકુસુમાંજલિના પૃ૦ ૧૨૮-૧૩૦, ૧૪-૧૪૩ ઉપરથી જોઈ શકાશે.