SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ७६ [ ૪ શ્રી હતુતિચતુર્વિશતિકા [૪ શ્રીઅભિનન્દન સ્પષ્ટીકરણ શ્રીહિણીનું સ્વરૂપ પુણ્યબીજને ઉત્પન્ન કરે તે રોહિણી” એ રોહિણી શબ્દને વ્યુત્પત્તિ-અર્થ છે. રોહિણી દેવી એ સોળ વિદ્યા-દેવીઓ પૈકી એક છે. તેને ચાર હાથ છે. તેના જમણા બે હાથ જપમાલા અને બાણથી અલંકૃત છે, જ્યારે ડાબા બે હાથ શંખ અને ધનુષ્યથી શેભે છે. વળી તે કુન્દ, પુષ્પ, હિમ ઈત્યાદિકના જેવી શ્વેતવણી છે અને ગાય એ એનું વાહન છે. આ હકીક્ત નિર્વાણુ- કલિકા ઉપરથી જોઈ શકાય છે, કેમકે ત્યાં કહ્યું છે કે ___“ तत्रायां रोहिणी धवलवर्णी सुरभिवाहनां चतुर्भुजामक्षसूत्रबाणान्वितदक्षिणपाणिं शङ्खधनुर्युक्तवामपाणिं चेति." આ વાતની નિખ-લિખિત શ્લેક પણ સાક્ષી પૂરે છે शवाक्षमालाशरचापशालि चतुष्करा कुन्दतुषारगौरा। गोगामिनी गीतवरप्रभावा श्रीरोहिणी सिद्धिमिमां ददातु ॥ –આચાર-દિનકર, પત્રાંક ૧૬૧ પદ્ય-વિચાર– આ પદ્યને અન્વય કરતી વેળાએ “ધનુષની સાથે સંબંધ ધરાવનારૂં કઈ પણ પદ (દાખલા તરીકે “ક્ષતિહdi') અધ્યાહાર છે એમ માનવું પડે છે. આ પ્રમાણે અધ્યાહાર લેવાને વિચાર ન થાય, તે તે પણ કથંચિત્ ચાલી શકે તેમ છે કેમકે ઘનુષા પરિતાં ” એમ અન્વય કરવાથી કે પણ પદ અધ્યાહાર છે એમ સમજવાની આવશ્યકતા રહેતી નથી, પરંતુ તેમ થતાં “ફ” શબ્દને “નમ ક્રિયાપદની સાથે લેવાની જરૂરીઆત જણાય છે અને આ અર્થ બહુ ઈષ્ટ નથી એમ ભાસે છે. ત્યારે શું આ પદ કેટલેક અંશે દૂષિત છે, અપૂર્ણ છે એમ માનવું ઠીક ગણાય ખરૂં? અને તેમ હોય તે આ મહાકવિની કૃતિ પણ દેષાંકિત ઠરે ખરી કેની? આ પ્રશ્નને આગળ ઉપર ૪૪ મા લેકમાં વિચાર કરીશું. ૧ વિચારો શ્રીબાપ-ભદિસરિકૃત ચતુર્વિશતિકાના સોળમા શ્લેકને અન્વય; ત્યાં પણ “પક્ષિતા” કે તેવું કઈ પદ અધ્યાહાર છે એમ માનવું પડે છે.
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy