________________
જિનતુતય ]
स्तुतिचतुर्विंशतिका મહાભારતમાં કહ્યું છે કે
“સર્વે તત કર્યું, તે ચર્ચા માત ! सर्वे तीर्थाभिषेकाच, यत् कुर्यात् प्राणिनां दया ॥"
–શાન્તિપર્વ. અથ–“હે ભારત ! બધા વેદે, સર્વે ય અને સમસ્ત તથભિષેકેનું જે ફળ છે, તે ફળ જીવ-દયાના ફળ આગળ કંઈ હિસાબમાં નથી.” અનુશાસન પર્વમાં તે ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે
"अहिंसा परमो धर्मस्तथाऽहिंसा परो दमः। अहिंसा परमं दानमहिंसा परमं तपः॥"
–૧૧૬ મે અધ્યાય, ૩૭-૪૧ હવે આ તે જૈનેની અને હિંદઓની વાત કહી. પરંતુ ખુદ મુસલમાનોને પણ તેના ધર્મનાં પુસ્તકે અહિંસાનું પાલન કરવા ફરમાવે છે. કુરાને શરીફમાં (સુરાઉલમામદ સિપારા, મંજલ ૩, આયત ૩ માં) ત્યાં સુધી ફરમાન કરવામાં આવ્યું છે કે
મકામાં તેની હદ સુધીમાં પ્રાણિ-વધ કરવે નહિ અને મક્કાની હજ (યાત્રા) કરવા નીકળેલાએ ઘેરથી નીકળે ત્યારથી લઈને તે યાત્રા કરીને તે પાછો ફરે, ત્યાં સુધી કઈ પણ જાનવરને મારે નહિ.”
આવી રીતે પારસી અને ખ્રિસ્તિ ધર્મમાં પણ અનેક સ્થળે અહિંસાની પુષ્ટિનાં ઉદાહરણ મળી આવે છે. આ ઉપરથી સમજી શકાય છે કે “અહિંસા પરમો ધર્મ” એ સિદ્ધાન્ત કંઈ જૈનેના ઘરને નથી, પરંતુ એ તે સમસ્ત બ્રહ્માંડે સ્વીકારેલ અને તેને સ્વીકારવા ચોગ્ય સિદ્ધાન્ત છે. સત્ય
જોકે સત્યનું સ્વરૂપ જાણીતું છે, તથાપિ તે સંબંધે બે બોલ કહેવાની આવશ્યકતા રહેલી છે.
સત્યને અર્થ સાચું બોલવું એટલેજ નથી, પરંતુ સ્વ–પર ઉપર ઉપકાર થાય-કેઈને પણ હાનિ ન પહોંચે એવું વચન બોલવું એનું નામ “સત્ય” છે. કહેવાનો મતલબ એ છે કે જે વચન બેલવાથી અન્ય જીવને વધ થવાને પ્રસંગ આવે કે કેઈના હૃદયમાં દુઃખ ઉપજે, તે તે સત્ય વચન પણ નજ બલવું. આ વાતની તે મનુસ્મૃતિ પણ સાક્ષી પૂરે છે. ત્યાં કહ્યું છે કે
૧ અહિંસાના વિશિષ્ટ સ્વરૂપ સારૂ જુઓ પ્રશ્ન-વ્યાકરણ તથા અહિંસા-દિગ્દર્શન, ૨ સરખા–
उक्तेऽनृते भवेद् यत्र, प्राणिनां प्राणरक्षणम् । अनृतं तत्र सत्यं स्यात्, सत्यमप्यनृतं भवेत् ॥
-મહાભારત, બહુલે પાખ્યાન.