SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ હવે મદનાવલી વનવાસે રે, એકલી રહે આવાસે રે; રાજા પ્રજાને પ્રધાન રે, તેહનું પામી અપમાન રે. ૧૧ મુને સહુકો કરતો જીજી રે, તુંકારો ન દેતો કો ખીજી રે; કર્મે કાઢી હું વનમાં રે, મદનાવલી ચિંતે મનમાં રે. ૧૨ કિહાં માત-પિતા ને ભ્રાત રે, સાહેલીનો કિહાં સાથ રે; કર્મે સહુમાંથી કઢાવી રે, લેઈ વનમાંહિ વસાવી રે. ૧૩ વલ્લભનો પડ્યો વિયોગ રે, જો જો કર્મતણાં એ ભોગ રે; મહાદુઃખ ભરે ચિંતે એહ રે, ધિક્ ધિક્ જીવિત મુજ એહ રે. ૧૪ પૂરવ ભવ પાપને ભોગે રે, દુઃખ પામી તેહને જોગે રે; મહા દુસ્સહ અવસ્થા લાધી રે, દેહથી દુરવાસના વાધી રે. ૧૫ દારુણ નિર્દય મહાકર્મ રે, પૂરવે મેં કર્યો અધર્મ રે; કોઈ કર્મ વિપાક સંજોગે રે, તન વિણઠો દુરગંધ યોગે રે. ૧૬ ભોગવ્યા વિણ કર્મ ન છૂટે રે, વિલાપ કરે નવિ ખૂટે રે; કરી કર્મ કેહને કહિયે રે, ઉદયે આવ્યા તે સહિયે રે. ૧૭ પશુ પંખી દૂરે જાય રે, દુરવાસ કેણે ન ખમાય રે; તેહ મંડલમાં કોઈ નાવે રે, દુરગંધી દૂરે જાવે રે: ૧૮ પ્રાણી માત્ર પલાયે દૂરે રે, મદનાવલી મનમાંહી ઝૂરે રે; એણી પેરે અટવી માંહિ રે, નિર્ભય દુઃખ દેખે ત્યાંહિ રે ૧૯ મહાક જાયે છે કાળ રે, એ તો કહી તેરમી ઢાળ રે; ઉદયરત્ન કહે ઈમ વાણી રે, કીધાં કર્મ ન છૂટે પ્રાણી રે. ૨૦ ભાવાર્થ : હવે સિંહધ્વજરાજા પોતાની પટ્ટરાણી પ્રત્યે કહેવા લાગ્યો કે હે મદનાવલી ! તું પ્રાણવલ્લભા પટ્ટરાણી છે. તેં ગુણ આપીને મને ઋણી બનાવ્યો છે. હું જાણે શરીર માટે વેચાતો લેવાયો છું. (૧) - - પણ તેં મને ઉત્તમ જાણીને આદર્યો છે. હું નિર્દય અવગુણનો ભંડાર છું. ઉત્તમ નર તે કહેવાય કે જે જ્યાં પોતાનું મન માંડે ત્યાંથી પ્રાણાંતે પણ પ્રીતિ છંડે નહિ. ૭૪
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy