________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
હવે મદનાવલી વનવાસે રે, એકલી રહે આવાસે રે;
રાજા પ્રજાને
પ્રધાન રે, તેહનું પામી અપમાન રે. ૧૧
મુને સહુકો કરતો જીજી રે, તુંકારો ન દેતો કો ખીજી રે; કર્મે કાઢી હું વનમાં રે, મદનાવલી ચિંતે મનમાં રે. ૧૨ કિહાં માત-પિતા ને ભ્રાત રે, સાહેલીનો કિહાં સાથ રે; કર્મે સહુમાંથી કઢાવી રે, લેઈ વનમાંહિ વસાવી રે. ૧૩ વલ્લભનો પડ્યો વિયોગ રે, જો જો કર્મતણાં એ ભોગ રે; મહાદુઃખ ભરે ચિંતે એહ રે, ધિક્ ધિક્ જીવિત મુજ એહ રે. ૧૪ પૂરવ ભવ પાપને ભોગે રે, દુઃખ પામી તેહને જોગે રે; મહા દુસ્સહ અવસ્થા લાધી રે, દેહથી દુરવાસના વાધી રે. ૧૫ દારુણ નિર્દય મહાકર્મ રે, પૂરવે મેં કર્યો અધર્મ રે; કોઈ કર્મ વિપાક સંજોગે રે, તન વિણઠો દુરગંધ યોગે રે. ૧૬ ભોગવ્યા વિણ કર્મ ન છૂટે રે, વિલાપ કરે નવિ ખૂટે રે; કરી કર્મ કેહને કહિયે રે, ઉદયે આવ્યા તે સહિયે રે. ૧૭ પશુ પંખી દૂરે જાય રે, દુરવાસ કેણે ન ખમાય રે; તેહ મંડલમાં કોઈ નાવે રે, દુરગંધી દૂરે જાવે રે: ૧૮ પ્રાણી માત્ર પલાયે દૂરે રે, મદનાવલી મનમાંહી ઝૂરે રે; એણી પેરે અટવી માંહિ રે, નિર્ભય દુઃખ દેખે ત્યાંહિ રે ૧૯ મહાક જાયે છે કાળ રે, એ તો કહી તેરમી ઢાળ રે; ઉદયરત્ન કહે ઈમ વાણી રે, કીધાં કર્મ ન છૂટે પ્રાણી રે. ૨૦ ભાવાર્થ : હવે સિંહધ્વજરાજા પોતાની પટ્ટરાણી પ્રત્યે કહેવા લાગ્યો કે હે મદનાવલી ! તું પ્રાણવલ્લભા પટ્ટરાણી છે. તેં ગુણ આપીને મને ઋણી બનાવ્યો છે. હું જાણે શરીર માટે વેચાતો લેવાયો છું. (૧)
-
-
પણ તેં મને ઉત્તમ જાણીને આદર્યો છે. હું નિર્દય અવગુણનો ભંડાર છું. ઉત્તમ નર તે કહેવાય કે જે જ્યાં પોતાનું મન માંડે ત્યાંથી પ્રાણાંતે પણ પ્રીતિ છંડે નહિ.
૭૪