________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ઢાળ છઠ્ઠી
|| દોહા ||
ભૂપતિ વળતુ ઈમ ભણે, ભાખો જિન જગભાણ; પૂર્વે જિન પૂજ્યાં થકી, કોણ પામ્યાં કલ્યાણ. ૧ અષ્ટપ્રકારી ઉપરે, અષ્ટ અર્થે દ્રષ્ટાંત; કહે કરુણાનિધિ કેવળી, સાંભળ નૃપ થઈ શાંત. ૨ ગંધ પૂજાના ગેલશું, ગુણ સાંભળ રાજેંદ્ર; સુંદર રૂપ સુંદર તનુ, પામે પરમાણંદ. ૩ જિમ જયસૂરને શુભમતિ, ગંધપૂજા પરમાણ; ત્રીજે ભવ ભવજલ તરી, પામ્યા પદ નિરવાણ. ૪ उक्तं च अष्टप्रकारी पूजा चरित्रे :
अंगं गंधं सुगंधं, वण्णं रूवं सुहं च सोहगं પાવેć પરમપયંપિદુ, પુરિો નિળબંધપૂર્વીર્ ॥ ૪૨ ॥ जह जयसूरेणं जाया, सहिएणं तइय जम्मं मि સંપત્ત નિબાળ, નિાંવ્ર ગંધ પૂયાદ્ || ૪૨ે || પહેલી પૂજા ઉપરે, સુણ તેહનો સંબંધ; જુગતે જંપે કેવલી, સાંભળ નૃપ હરિચંદ. ૪
ભાવાર્થ : પૂજાના ફળનો અધિકાર સાંભળી હરિચંદ્ર રાજવી વિજયચંદ્ર કેવલીને ફરી પૂછી રહ્યા છે. હે સૂર્યસમ જિનેશ્વર ! પૂર્વે જિનપૂજા કરવા થકી કોણ કલ્યાણ કમલાને વર્યા તે કૃપા કરી મને કહો. (૧)
ત્યારપછી કરૂણાના ભંડાર એવા કેવલી ભગવંત ફ૨માવી રહ્યા છે કે હે રાજન્ ! શાંત થઈને સાંભળ. અષ્ટપ્રકારી પૂજા ઉપર આઠ દૃષ્ટાંત છે. તે સાવધાન થઈને સાંભળ. (૨)
ગંધપૂજાના ગેલથી (આનંદ) હે રાજેંદ્ર ! તું તેનાં ગુણ સાંભળ. તેનાથી સુંદર રૂપ, સુંદર શરીર અને પરમાનંદ પદની પ્રાપ્તિ થાય છે. (૩)
તે ગંધપૂજા કરવાથી ત્રીજે ભવે ભવસમુદ્ર તરી નિર્વાણ પદને પામ્યા. તે જયસૂર૨ાજા અને શુભમતિ રાણીનું દૃષ્ટાંત સાંભળ. (૪)
૩૩