________________
SS S SS S
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસો ) ) .. માનવ ભવ મોંઘો વળી દોહિલો દશ દૃષ્ટાંત રે; શ્રાવક કુલ સંસારમાં પામે પ્રાણી કલ્પાંતે રે. ઈમ- ૧૩ પામીને પ્રીછી નહિં જીવતણી તે જયણા રે; દયા વિના વળી દોહિલી સમકિતની સદણા રે. ઈમ૦ ૧૪ નિર્મળ મતિ નિરોગતા સગરનો સંયોગો રે; શ્રવણ સુણવો સિદ્ધાંતને દોહિલો એવો યોગો રે. ઈમ૦ ૧૫ સૂત્ર સિદ્ધાંત તે સાંભળી દોહિલો દિલમાં ધરવો રે; સદહણા સાચી ધરી દોહિલો કાયાયે કરવો રે. ઈમ૦ ૧૬ સમકિત વ્રત સાચું ધરી સગરની કરે સેવા રે; ગુણ એકવીશ જેહમાં કહ્યાં શ્રમણોપાસક એહવા રે. ઈમ૦ ૧૭ કુગુરુ, કુદેવ, કુધર્મ શું મનમાં મોહ ન આણે રે; મિથ્યામતિ દૂર ત્યજી જીવાદિ તત્ત્વને જાણે રે. ઈમ૦ ૧૮ વ્રત બારે વિગતે કરી શુદ્ધ મને આરાધે રે; ચૌદ નિયમ ચિત્તમાં ધરી પાળે મનની સમાધે રે. ઈમ, ૧૯ શ્રમણોપાસકનો સહી એવો મારગ આખ્યો રે; એહથી અધિકો તે વળી ચારિત્ર રસ જેણે ચાખ્યો રે. ઈમ૦ ૨૦ સર્વવિરતી પહેલો કહ્યો દેશવિરતી ધર્મ બીજો રે; એ બેહની સમોવડે ત્રિભુવનમાં નથી ત્રીજે રે. ઈમ- ૨૧ ધરમની દેશના ધારીને અગડ નિગમ લિયે કઈ રે; વંદીને મંદિર વળ્યા લાહો ધર્મનો લેઈ રે. ઈમ. ૨૨ ચોથી ઢાળે ચેતજે ઉદયરત્ન ઈમ આખે રે; હરિચંદ્ર રાજા હવે બે કરજોડી ભાખે રે. ઈમ૦ ૨૩
શ્રી વિજયચંદ્ર કેવલીની ધર્મદેશના ભાવાર્થ હે શ્રોતાજનો તમે સાંભળો કિંપાકના ફળ જેવા સંસારી સુખ છે. બહારથી દેખાતું રળિયામણું કિંપાકનું ફળ અંદરથી ઝેરી છે. ખાનારના પ્રાણ હરી લે છે. (૧) છે તેમ બહારથી રળિયામણો દેખાતો સંસાર એટલો જ અંદરથી ખતરનાક છે. કિંપાકનું રે
ફળ તો એક જનમમાંજ મારે છે. જ્યારે સંસાર જન્મોજન્મ ખરાબ કરે છે. વિષ સમ વિષય | સુખ છે. વિષયો વિષ કરતા વધુ ખતરનાક છે. દુર્ગતિના કારણભૂત છે. તેવા વિષયસુખના