SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ E - શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ . .. ઢાળ પંચાવનમી | દોહા કુસુમકુમર હવે અનુક્રમે યૌવન પામ્યો જામ; રાજાએ નિજ રાજ્ય તવ, તેહને આપ્યું તા. ૧ શ્રાવકપણું નૃપ આદરી, પાળીને પરમાય; સૌધર્મે સુર તે થયો, જિન નૈવેધ પસાય. ૨ જય જય કરી દેવાંગના, આવી પૂછે તામ; પામ્યા કુણ પુણ્ય કરી, સ્વામી ! તમે સુરઠામ. ૩ દેખી દેવની સંપદા, અમરીની સુણી વાણ; પૂરવભવ પ્રેમે કરી, અવલોકે નિજ નાણ. ૪ દીઠો અવધિ પ્રયુંજતા, હળી ભવનો અધિકાર; નૈવેધ પૂજા પસાથી, પાખ્યો સુર અવતાર. ૫ ઈમ જાણી ઉલટ ભરે, જિન પૂજે નિત્યમેવ; મન ઈચ્છિત સુખ ભોગવે, દેવલોકે તે દેવ. ૬ ભાવાર્થ : ક્ષેમપુરીના પૃથ્વીપતિ હળધર રાજાએ હવે પોતાનો રાજકુમાર યૌવન- નિ વયનો થયો છે જાણી તેમજ રાજભારને વહન કરવામાં યોગ્ય જાણી પોતાનું રાજ્ય | કુસુમકુમારને આપ્યું. (૧) ત્યારબાદ હળધરરાજા પોતે સમ્યકત્વ મૂલાદિ દ્વાદશવ્રત, ચૌદ નિયમાદિ યુક્ત ગૃહસ્થ E ધર્મ યાને શ્રાવક ધર્મ અંગીકાર કરે છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય ભોગવી અનુક્રમે આય ક્ષયે દિન ની પરમાત્માની નૈવેદ્યપૂજા કરવા દ્વારા તે પૂજાના પુણ્ય પ્રભાવે સૌધર્મદેવલોકે દેવ થાય છે. (૨) . - સૌધર્મદેવલોકે ઉત્પન્ન થતાંની સાથે જ સૌધર્મ દેવલોકવાસી દેવાંગનાઓ હાજર થઈ વિ જાય છે અને પોતાના સ્વામી બનેલા એવા તે દેવને જય જય શબ્દથી વધારે છે. ત્યારબાદ રિ 6 તે દેવાંગનાઓ પોતાના સ્વામીને પૂછે છે કે તે સ્વામીનું ! પૂર્વે તમે એવું કયું પુણ્ય ઉપાર્જન | કર્યું કે જેથી કરીને તમે અહિં આ દેવલોકને વિષે જન્મ પામ્યા ? (૩) એ પ્રમાણેની દેવાંગનાની દિવ્યવાણી સાંભળીને સૌધર્મ દેવલોકને વિષે ઉત્પન્ન થયેલ ન હળધર રાજાના જીવે સૂરલોકની દિવ્ય સંપત્તિ જોઈને અને પૂર્વભવના સ્નેહે કરી પોતાના અવધિજ્ઞાન વડે પોતાનો પૂર્વભવ જોવા લાગ્યા. (૪)
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy