SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ બીજી || દોહા || ઈશાન ખૂણે ઉદ્યાન છે અંબશાલ અભિરામ નિરવધ નગર નજીકતર શોભિત સુંદર ઠામ. ૧ તિણે પુરે તિણ સમે તિહાં અવસરે તિણે કાલ; ગુણાકર નામા કેવલી સમવસર્યા અંબશાલ. ૨ વનપાલક જઈ વિનવ્યો વિજયચંદ્ર રાજેન્દ્ર; પ્રભુ ! પધાર્યા કેવલી મોટા સાધુ મુનીંદ્ર. ૩ બહુ પરિવારે પરિવર્યા અંબશાલ ઉધાન; આવીને તિહાં ઉતર્યાં નિર્મળ જ્ઞાનનિધાન. ૪ વનપાલકને વધામણી અલવે આપે રાય; સોવનરસના ધન બહુ અને પંચાંગ પસાય. ૫ આગમન સુણી અણગારનું મુદિત થયું નૃપ મન્ન; વેગે આવે વંદવા રંગેશ્ રાજશ. ૬ વાસુ ઋદ્ધિ વિસ્તારીને ઉલટ આણી અંગ; સપરિવારે પરિવર્ણો સેના લેઈ ચતુરંગ. . ભાવાર્થ : અષ્ટપ્રકારી પૂજાના રાસના કર્તા પૂ. શ્રી ઉદયરત્નજી મહારાજ માલવદેશ, રત્નપુરીનગરી, રાજા, રાજકુંવરો અને સેનાનું પ્રથમ ઢાળમાં વર્ણન કર્યા બાદ બીજી ઢાળમાં ફ૨માવે છે કે રત્નપુ૨ીનગરીના ઈશાન ખૂણે નગરની નજીક નિરવદ્ય ‘અંબશાલ’ નામનું મનોહર એવું ઉદ્યાન છે. (૧) તે સમયે તે અવસરે અને તે કાલે તે ઉદ્યાનની નિરવદ્ય ભૂમિને વિષે અંબશાલમાં ‘ગુણાકર’ નામના કેવલી ભગવંત નિર્મલ જ્ઞાનના ભંડાર મહામુનિવરોના પરિવારે પરિવર્યા છતાં તે અંબશાલ ઉદ્યાનમાં સમવસર્યા. (૨) તે સમયે વિજયચંદ્ર રાજાને વનપાલકે વધામણી આપી કે, હે રાજન્ ! અંબશાલ નામના ઉદ્યાનમાં મોટા મુનીંદ્રો સહિત ‘ગુણાકર' નામના કેવલી ભગવંત પધાર્યા છે. (૩) નિર્મલ જ્ઞાન નિધાન ! બહુ પરિવારે પરિવરેલા એવા અંબશાલ ઉદ્યાનની નિરવદ્ય ભૂમિને વિષે આવીને ઉતર્યા છે. (૪)
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy