SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ETS....... શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ૩ તૂટેલા હારની જેમ આ વાત કેવી રીતે સંભવે. એ પ્રમાણે રાજા સંશયમાં પડ્યો થકો | મનમાં કંઈક વિચારી રહ્યો છે. ત્યારે કેવલી ભગવંત કહેવા લાગ્યા કે, હે રાજન્ ! સાંભળ ફોગટ બ્રાંતિમાં કેમ પડ્યો છે ! (૧૪) મૃગલાની નાભિમાં કસ્તૂરી છે તેને પ્રાપ્ત કરવી છે. તેને માટે વનમાં શોધતાં ફરે છે પણ કસ્તૂરી પ્રાપ્ત થાય નહિ. કેમકે નાભિમાંથી સુગંધ આવતી નથી તેથી એમ માનો કે 3 કસ્તૂરીની જો નાભિમાં સુગંધ નથી તો કસ્તૂરી કેવી રીતે સંભવે ! એ ન્યાયે હે રાજનું! તું | પણ અહીં ભૂલો પડ્યો છે. તેથી સંશય કરે છે. (૧૫) વળી હાથના કંકણ જોવા માટે કોઈ આરિસો માંગે ખરું? તણખલાના ઓથે કંઈ ડુંગર દિન હોઈ શકે ખરો? ન જ હોય પણ તે ન્યાયે તું સંશય કરી રહ્યો છે. (૧૬) ની કેવલી ભગવંતની ઉપર પ્રમાણેની વાણી સાંભળીને રાજા કહેવા લાગ્યો કે, હે ભગવંત ! 6. જિનવાણી કદાપિ અલિક (ખોટી) ન હોય એમ સહુ કોઈ જાણે છે. હું પણ માનું છું પરંતુ કી તેની શોધે પુત્રને હણી નાંખ્યો છે તે વાત પણ સહુ કોઈ જાણે છે. તેથી મારા મનમાં સંદેહ 3 ઉત્પન્ન થાય છે. (૧૭) વળી આપ કહો છો તેમ વાત સાચી છે પણ આ જાણે મોટું કૌતુક થઈ રહ્યું છે. તેથી હું તે | સંશયથી ભરાયો છું. જેમ મારી “મા' અને તે વાંઝણી. આ ઉખાણો ક્યાંય જોવા મળતો નથી. $ તેમ તેનો પુત્ર બલિદાનમાં અપાઈ ગયો છે તો તે માતા અને પુત્ર કેવી રીતે સંભવે ? (૧૮) $ હવે રાજાનો સંશય ટાળવા કેવલી ભગવંત દૈવીપૂજા માટે પ્રજા સર્વે ભેગી થયેલી. મને દેવીના મંદિરે ગીતો ગવાઈ રહેલાં. પડલીમાં બાળક હતું. ભોગ ચઢાવાની તૈયારી હતી તે સમયે ગગનપંથે વિદ્યાધર સૂરરાજા જઈ રહેલા. આ તારા જયદત્તકુમારને જોયો. પોતે કરે Sી વિદ્યાના બળે જયદત્તને ઉઠાવી લીધો અને ત્યાં મરેલું બાળક મૂક્યું, તેણે જઈને પોતાની માં સ્ત્રીને સોંપ્યો. તે વિદ્યાધર રાજા-રાણીએ પુત્રની જેમ મોટો કર્યો, તેનું મદનકુમાર નામ દિન | પાડ્યું. વિદ્યાધરની સઘળી વિદ્યા શીખ્યો. ગગનાંતર અવગાહતા ગોખે બેઠેલી જયસુંદરી ન પર મોહિત થયો. તેનું અપહરણ કર્યું. સરોવર પાળે બેઠો હતો. વાનર યુગલે આવી ER | પ્રતિબોધ કરવા ઓળખાણ કરાવી. તે વાનરી પૂર્વના-શુકના ભવની તારી પુત્રી હતી અને ત્રીજી છે તે વિદ્યાધર સૂરરાજા પરિવાર સહિત વૈતાદ્યથી અત્રે વંદન કરવા આવ્યો છે. આટલો E વૃત્તાંત કેવલી ભગવંતે સકલ સભા સમક્ષ કહી સંભળાવ્યો. (૧૯, ૨૦) આ એ પ્રમાણે કેવલી ભગવંત પાસેથી સર્વ વૃત્તાંત સાંભળી રાજા હેમપ્રભ પોતાના નયનો આ નિ પસારીને નર-નારીના દિને જોવા લાગ્યા અને સર્વને દેખીને સહુનમનનસંગભાંગી કરી ગયા. (૨૧)
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy