SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ SSSS S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ | ભાવાર્થ ત્યારબાદ અનુક્રમે વડીલૂડીથી પ્રસવેલા બે ઈડા સૂડા-સૂડી પણ યુગલરૂપે છે ની બંને ઈડા તૈયાર થયા. તે યુગલ હવે પોતાનાં આંગણે ઉદ્યાનમાં રમી રહ્યાં છે અને કોઈ | એક વખત રાજાએ આપેલા શાલિનું જે સ્થાન હતું ત્યાં જઈને સાંભળે છે, તે શું સાંભળે છે. Mી તે કહે છે. (૧) હવે કોઈ એક વખત ચારણશ્રમણ મુનિ હર્ષપૂર્વક મનમાં ઉલટ આણી ત્યાં રહેલા છે | જિનમંદિરે શ્રી ઋષભદેવ પ્રભુના દર્શન કરવા માટે આવ્યાં તે સમયે નગરજનો અને રાજા નિ | સુખ સંપદા પ્રાપ્ત કરવા માટે જિનેશ્વર ભગવાનની અક્ષત અને ફૂલથી પૂજા કરી રહ્યા છે. (૨) કે પૂજા કર્યા બાદ રાજા ચારણશ્રમણ મુનિને વંદન કરી અક્ષતપૂજાથી શું લાભ થાય તે | પૂછી રહ્યા છે. ત્યારે મુનિવર પણ ઉપદેશમાં અક્ષતપૂજાથી શું લાભ થાય તે વિસ્તારથી કહી રહ્યા છે કે, અક્ષતપૂજાથી કર્મને નિકંદીને જીવ અક્ષય સુખને પ્રાપ્ત કરે છે. ફરી આનંદથી ની મુનિવરના ચરણકમલને વિષે નમસ્કાર કરી. (૩) | સર્વે નરનારી પોતપોતાના મંદિરે (આવાસ) પહોંચ્યા અને મુનિવરે પણ પંખીની જેમ ની ત્યાંથી વિહાર કર્યો. આ તરફ મુનિના વચન સાંભળી સૂડી પોતાના પતિને કહેવા લાગી કે, કે | હે સ્વામીનું ! જે જીવ જિનવરની પૂજા કરે છે તે અક્ષયસુખને પ્રાપ્ત કરે છે. (૪) Rી તેથી તે સ્વામીનું ! આજથી આપણે પણ અક્ષતપૂજા કરવાનું ચાલુ કરીએ. અક્ષતના કિસ 5 ત્રણપુંજ પ્રભુની આગળ ધરીએ અને તે પ્રમાણે અખંડ શાલિ ઉત્તમ પ્રકારના ચંચુપટમાં Rી ગ્રહણ કરી મનરંગે જિનવર આગળ જઈને ધરે છે. (૫) છે એ પ્રમાણે હંમેશા પુત્રાદિ પરિવાર સાથે આ પ્રમાણે નિયમપૂર્વક ચિત્તને સમાધિમાં | રાખી પ્રેમથી જિનવરની અક્ષત વડે પૂજા કરે છે. એ પ્રમાણે જિનવરની ભક્તિ કરતાં થકાં દિ અંત સમયે આયપૂર્ણ કરીને ચારેય જણાં પુન્યકર્મ કરી દેવલોક પહોંચ્યા. (૬) ત્યારબાદ શુકનો (પોપટ) જીવ સુરસુખ ભોગવી સુરલોકથી અવી હેમપુરનગરને Tી વિષે સૂર્ય સમાન તેજસ્વી રિપુદલને ગંજવા સિંહ સમાન, શૂરવીરોમાં શિરોમણી હેમપ્રભ કરી નામે રાજા થયો. (૭) અને સૂડીનો જીવ પણ સુરલોકથી ચ્યવી તે જ રાજાની જયસુંદરી નામે પટ્ટરાણીપણે | ઉત્પન્ન થયો અને જે વડી સૂડી શોક્ય હતી તે પણ ઘણાં ભવ ભમતી તે રાજાની રતિસુંદરી દિની નામે રાણી થઈ. (૮) tી તે હેમપ્રભ રાજાને બીજી પણ રૂપે રંભા સમાન પાંચસો રાણીઓ છે. તો પણ પહેલી બે ત્રિી જયસુંદરી અને રતિસુંદરી આ બે રાણી રાજાને વિશેષ મન વસી છે અને તે રાજાએ પોતાના ભુજબલથી ઘણા રાજાઓને વશ કર્યા છે અને તે દરેક રાજાઓ અખંડપણે હેમપ્રભ ન રાજાની આજ્ઞાને મસ્તકે ચઢાવે છે. (૯)
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy