________________
S
TD 12 શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
3 માટે હું તે મારા પ્રિયતમને કારણે મન શુદ્ધ પ્રાણ તજવા તૈયાર છું. આ શૂકને તું : જીવતો મૂક અને આજ મને હે રાજન્ ! તું પણ. (૫)
તે સાંભળીને પોપટ કહેવા લાગ્યો કે, હે સ્વામી ! મારી હાજરીમાં હું અહિં હોતે જીતે છે. જો સૂડી મૃત્યુ પામે તો મારાથી કેમ રહેવાય ? કેમ સહન થાય ? માટે તમે મારા પર ‘ઘા' | મારો. (૬)
તે સાંભળીને રાજા હસીને કહેવા લાગ્યો કે, તે પોપટ ! તું ખરેખર વિખ્યાત પંડિત છે. કે પણ મહિલા કાજે મરવાની તું જે વાત કરે છે એ યોગ્ય નથી. (૭)
વળી નર માટે જો નારી મરે તો એ વ્યવહારિક વાત છે. પણ નારી માટે નર મરે તો મા તે નર ખરેખર ગમાર ગણાય છે. (૮)
(સુદામાની દેશી રાજગૃહી નગરી મોઝારોજી) નરપતિની વાણી સુણી બુદ્ધિ વિચારે પંખિણી, તેહ તણી, મતિ જુઓ હવે નિર્મળાજી, સુડી કહે સુણો રાયજી, અણબોલ્યો ન રહેવાયજી,
ન્યાયજી, જુઓ તપાસી મનરળીજી. ૧ બુટકઃ જુઓ તપાસી બુદ્ધિ પ્રકાશી, વિમાસી ગુણગેહરે;
માતા-પિતા ધન જીવિત છાંડી રમણી રાતો જેહ. ૨ વ્યસન વિલબ્ધો મહિલા લુબ્ધો શ્યાં શ્યાં ન કરે કાજો રે; સુરનર કિન્નર અસુર વિધાધર, કેહની ન રહે લાજો. ૩ નારી કાજે નગન થઈને, ઈશ્વર આપે નાચ્યો રે; અરધ અંગ આપ્યું ઉમયાને, રમણી રંગે રાચ્યો. ૪ ઈંદ્રચંદ્ર નાગૅદ્ર નરેશ્વર અલવેસર અવધૂતા રે;
દધ્યાની જ્ઞાની મહા અભિમાની, પ્રેમના પંકે ખૂા. ૫ ઢાળ: સૂડી કહ્યો સુણો સ્વામીજી, મરણ ન દેખે કામીજી,
ખામીજી સુરપતિ સરીખા સહુ ખમેજી, તો બીજાં કેમ લાજે જી, શ્રી દેવીને કાજે જી, રાજેજી મરણ - ગણ્યો નહિ તિણ સમેજી. ૬